________________
રાત્રિ ભોજન
[ ૭૧ ]
તમે તો માનવી નામ ધરાવો, કેમ સંતોષ ન આણો રે. કબૂતર, ચકલા, કાગડા, પોપટ વગેરે પક્ષીઓ-પ્રાણીઓ પણ રાત્રે ખાતાં નથી તો પછી સમજુધર્મી મનુષ્ય માટે તો પૂછવું જ શું ? આપણા વડવાઓના સમયમાં, થોડા વર્ષો પહેલાં, કંદમૂળબટાટા વગેરે બજારમાં બીજાની સામે ખરીદતાં અને ઘરમાં, તેને વાપરતાં સામાજીક શરમ સંકોચ રહેતો. ઘરે લાવવા હોય તો સંતાડીને લાવતા. પરંતુ આજે તો પશ્ચિમની નકલ કરવામાં આપણી જાતને. આધુનિક-ફોરવર્ડ બનાવવામાં, આપણે અમૂલ્ય સંસ્કૃતિ અને સંસ્કારને ભૂંસી રહ્યા છીએ. કંદમૂળ-અભક્ષ્ય ખાનપાન તો રાત્રિભોજનની જેમ ઘર ઘરની સામાન્ય કહાની બની ગઈ છે, પરંતુ હવે આગળ વધીને ઇંડા (), નશીલા કેફી દ્રવ્યોનો ઉપયોગ પણ ઘણાં જ ઝડપથી ઘરોમાં પ્રવેશી રહ્યો છે, એટલું જ નહિ તે આધુનિકતાના લક્ષણો તરીકે મનાવવા માંડયો છે. ગર્ભપાત (પંચન્દ્રિય જીવની ક્રૂર હત્યા) પણ પશ્ચિમના ઝેરી પવનમાં સામાન્ય બનવા માંડી છે. લગ્નમાં ફટાકડા ફોડવાથી અનંત જીવોની હિંસા એ આધુનિક ફેશન બનવા માંડી છે. મનુષ્ય ભાન ભૂલ્યો છે અને આ પાપોના કાતિલ પરિણામો ભાવિમાં નરક-નિગોદના ભવોમાં કેવા કડવાં અનુભવવાં પડશે એ સાવ ભૂલી ગયો છે.
મહામૂલા દેવ દુર્લભ મનુષ્ય ભવમાં રાત્રિભોજનાદિ અભક્ષ્ય ખાન-પાનથી બચો.
આજના આ પંચમ આરામાં મનુષ્યભવનું વધુમાં વધુ આયુષ્ય ૧૩૦ વર્ષનું છે. આજે મોટે ભાગે ૭૦/૮૦ વર્ષે પહોંચતાતો જીવ ઢળી પડે છે. બીજા ભવોની, સાગરોપમની = અસંખ્યાતા વર્ષોની આયુષ્યની સરખામણીમાં તદ્દન મામૂલી ગણાય. મહામૂલો મનુષ્યભવ ઘણી ઘણી રખડપટ્ટી અને ઘણા ઘણા કર્મના માર ખાધા પછી વિશેષ