SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ધનની કાળી બાજુ _[ ૫૯ ] ગયા જ અને પૃથ્વી તથા ધન તો અહીં કાયમનું કાયમ જ રહેલું છે. સોનાની ડુંગરીઓ બનાવનાર નંદરાજા ચાલ્યો ગયો. હજારો મનુષ્યોના મસ્તકથી અને લોહીથી પોતાની તલવારોનો તૃપ્ત કરનારા રાજાઓ સ્મશાનભૂમિમાં ભસ્મીભૂત થયા છે અને માટી સાથે માટીમાં એકરૂપ થઈ ગયા છે. લાકડાઓથી અગ્નિ કદી તૃપ્ત થતો નથી તેમ આ રાજ્ય વૈભવ ધનાદિથી આ જીવની તૃષ્ણા કદી શાંત થતી નથી. - ઈત્યાદિ પરિગ્રહના ગુણદોષ ઉપરથી સમજાશે કે ગુણ કરતાં દોષ વધારે છે છતાં વ્યવહારનું એક સાધન હોઈ ધનાદિ ઉપયોગી છે - વિશેષ એ છે કે જે હથિયાર પોતાનો બચાવ કરનાર છે તે જ હથિયાર, સાવચેતીથી ઉપયોગપૂર્વક વાપરવામાં ન આવે તો નાશ પણ કરનાર તે જ છે. માટે વિવેકી મનુષ્યોએ આ પરિગ્રહાદિનો ઘણી જ સાવચેતી યાને વિવેકવાળી જાગૃતિથી સંચય અને વ્યય કરવો અને વધારે લાંબી ઈચ્છાઓને કાબુમાં લઈ પોતાની જરૂરીયાતોના પ્રમાણમાં પોતાની ઈચ્છાનુસાર તેનું પ્રમાણ કરવું અર્થાત્ પરિગ્રહને નિયમમાં નિયંત્રિત (જોડી) રાખવો. હીરા, માણેક, મોતી, લીલમ, પ્રવાલ, આદિ સર્વ પ્રકારનું ધન તથા રોકડ સિક્કા રૂપાના કે સોનાના. ૧. સર્વ જાતના ધાન્યાદિ. ૨. અલંકાર અને તે સિવાયનું વગર ઘાટનું સોનું. ૩. અલંકાર અને વગર ઘાટનું રૂપું. ૪. જમીન, ગામ, શહેર, દેશ, ટાપુ, ખાડી-દરિયો અને ખેતર આદિ. ૫. મહેલ, હવેલી, ઘર, હાટ, વખાર આદિ ઇમારતો. ૬. નોકર, ચાકર, દાસ, દાસી, લશ્કર આદિ ૭. ગાય, ભેંસ, હાથી, ઘોડા, ઊંટ, ખચ્ચર આદિ તમામ પશુ વર્ગ. ૮. ઘર વ્યવહાર આદિમાં ઉપયોગી તમામ વસ્તુઓ ઘરની ઘરવખરી. ૯. આ નવ પ્રકારનો પરિગ્રહ કહેવામાં આવે છે. જ્યાં સુધી શુદ્ધ આત્માને આ જીવ ઓળખાતો નથી, અને તેના
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy