________________
- ૨ -
ગૃહસ્થ ધર્મ
[ ૩૬ ] કહેવાય છે. મન, વચન, શરીરને નિયમમાં રાખવાની શિક્ષારૂપ તે વતો છે તથા દ્રવ્યોનો સન્માર્ગ વ્યય કરવારૂપ પણ છેલ્લું વ્રત છે. મન, વચન, શરીર અને ધન આ ચારને કાબૂમાં રાખવાં, નિયમમાં રાખવાં, સારા કામમાં વાપરવાં, અશુભ કામમાંથી પાછાં હઠાવવાં, ઈચ્છાઓને રોકવી, નિયમમાં મૂકવી, સારી ઇચ્છાઓ વધારાવી, બૂરી ઈચ્છાઓ ન કરવી, કર્મની નિર્જરા કરવી, નવાં કર્મ ન બાંધવા, બંધાય તો શુભ બાંધવા ઈત્યાદિ કારણો આ વ્રતો લેવાનાં છે. (પ્રથમ સ્થૂલ અહિંસા વ્રતની જરૂરિયાત )
ભગવાન મહાવીરદેવની આશા છે કે નાસ્તિવાન્નર કોઈ પણ જીવને મારશો નહિ. શા માટે જીવોને ન મારવા? ઉત્તર એ છે કે જેવું તમારું જીવિતવ્ય તમને વહાલું છે તેવું જ સર્વનું જીવન સર્વને વહાલું છે. તમને દુઃખ વહાલું છે? ઉત્તરમાં, નહિ જ તો બીજાને તે કેમ વહાલું લાગતું હશે ? શરીરના કોઈ પણ ભાગમાં તમને નાનો સરખો ઘા લાગવાથી કે એક માત્ર કાંટો જ લાગવાથી પણ તમને દુઃખ થાય છે તો તમારા જેવું જ જીવન ધરાવનાર અન્ય જીવોને કેમ દુઃખ નહિ થતું હોય? તમારો જીવ બચાવવાને તમે ઇચ્છો તો બીજાના જીવનનો નાશ કરવાનો તમને અધિકાર શો છે? યાદ રાખજો કે,
જ્યાં સુધી તમે અન્ય જીવોને મારશો, ત્યાં સુધી તમને મરવું જ પડશે. દુઃખ આપશો તો દુઃખી થવું પડશે. જેવું દાન તેવું ફળ, જીવોને નિર્ભયતા આપો, તમને પણ નિર્ભયતા જ મળશે. જે જીવોનું રક્ષણ કરે છે, તેઓ પરમાર્થથી પોતાનું જ રક્ષણ કરે છે. જે અન્યને મારે છે તે ખરી રીતે પોતે જ કરે છે. કારણ કે બચાવની લાગણીવાળા બીજમાંથી બચાવનાં જ ફળો મળે છે, મારવાની લાગણીવાળા કડવા બીજમાંથી મારનારા જ ફળો પેદા થાય છે. ઘાત-પ્રત્યાઘાતના નિયમ