________________
---------
**J
આવશ્યક
- -- - - - - - - - -- - - - ---- ન હોય તેમણે પણ અભક્ષાદિ ભક્ષણ કર્યું હોય, વિતરાગ દેવની સામાન્ય આજ્ઞા પ્રમાણે શ્રદ્ધાન ન કર્યું હોય, અઢાર પાપસ્થાનકાદિ કર્યા હોય તેને યાદ કરી તેની માફી માગવી. પશ્ચાત્તાપ કરવો. ફરી ન કરવાનો નિશ્ચય કરવો. આનું નામ પ્રતિમા છે.
પાંચમા આવશ્યકમાં કાઉસ્સગ્ગ (કાયોત્સર્ગ) આવે છે, એટલે ચોથા પ્રતિક્રમણ આવશ્યકમાં, જે જે અપરાધો યાદ કર્યા, માફી માગી છતાં તે દોષના નિવારણ કરવાને માટે માફી પણ પૂરતી ન થતી હોય અર્થાતુ માફી માગ્યાથી નિવારણ થઈ શકે તેથી વધારે દોષ લાગ્યો હોય તો તેના નિવારણ નિમિત્તે પ્રાયશ્ચિત નિમિત્તે કાઉસ્સગ્ન કરવામાં આવે છે. જેમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર સંબંધી અતિચારોનું, દોષોનું નિવારણ કરવાનું સામર્થ્ય છે એવા એકાગ્ર ધ્યાન કે સ્તુતિ કરવારૂપ કાઉસ્સગ્ન કરવા તે પાંચમું આવશ્યક છે.
છઠ્ઠા આવશ્યકમાં પચ્ચખાણ કરવામાં આવે છે. પ્રાયશ્ચિત અધિક લાગ્યું હોય કે જે કાર્યોત્સર્ગથી પણ નિવારણ ન થઈ શકે તેવું હોય, તેને માટે પ્રાયશ્ચિત નિમિત્ત ઉપવાસાદિકનું પચ્ચખાણ કરવું. અથવા તેટલું પ્રાયશ્ચિત નથી લાગ્યું તેમણે આગળ વધવા માટે અધિક યોગ્ય નિયમો ગ્રહણ કરવા. શુભ કાર્યમાં વધારે પ્રવૃત્તિ કરવા માટે અમુક જાતનું પચ્ચખ્ખાણ-અભિગ્રહ કરવો. અથવા અમુક દોષો દૂર કરવાની પ્રતિજ્ઞા કરવી. અમુક ઇચ્છાઓ હઠાવવા માટે તેની મર્યાદા કરવી. ગમે તેવી રીતે પણ ત્યાં યોગ્ય ઉપયોગી નિયમ કરવો તે છઠ્ઠો આવશ્યક છે.
આ છ આવશ્યકોને પ્રતિક્રમણ કહેવામાં આવે છે તે એક રીતે યોગ્ય છે કારણ કે તેમાં મુખ્યતા પ્રતિક્રમણની છે. છતાં ખરું નામ આવશ્યક તે વધારે યોગ્ય છે.
આ પ્રતિક્રમણ જેમ દિવસમાં સવાર-સાંજ બે વખતે કરવામાં