________________
ત્રીજા પ્રકારનો જાપ * મળી શકે છે અને તે ક્ષણિક છે. પરિણામે દુઃખરૂપ છે; અરય નાશ પામનારા છે. અને તેનું પરિણામ પ્તિ કરનારું આવતું જ નથી તો તેને માટે આરાસુખ મેળવવાનું ચૂકી દઈ, પરિણામે કુકસાન કરનારી ઈચ્છાઓને પોષણ આપવા માટે આ જાપ ન થાય તો વધારે સારું છે. કોઈ પણ જાતના ફળની ઈચ્છા રાખ્યા સિવાય જાપ કરવાથી કર્મમળ ઘટે છે; અને ઇચ્છા પૂર્ણ કરવા માટે જાપ કરવાથી પણ નવીન શુભ બંધ તો થાય છે જ.
જાપ કરી રહ્યા પછી વિચાર કરવો કે હું કોણ છું? મારું કર્તવ્ય શું છે? મારો ધર્મ શું છે? મારું કર્તવ્ય મેં કેટલું બનાવ્યું છે? મારા પૂર્વજો કોણ હતા? તેમણે અગત્યનાં કર્તવ્યો શું શું કર્યા છે? શું મારી નિર્બળતા છે? મારો પ્રમાદ છે? અથવા કોઈ બીજી હરકતો છે? તે દૂર થઈ શકે તેમ છે? છે તો ક્યા ઉપાયથી? તે ઉપાયો કામે લગાડયા છે? હવે ઉપાયો કામે લગાડી શકાય તેમ છે? તેમાં અન્યની મદદની જરૂર છે? તે મળી શકે તેમ જણાય છે? અન્યને મદદ કરી છે? તારે હાથે કોઈ પરોપકારી કાર્યો થયાં છે? થયા હોય તો તેની અનુમોદના કર, ન થયાં હોય તો તે કરવા માટે સાવધાન થા. ગયા વખતનો પશ્ચાતાપ કરી ભવિષ્ય માટેનો નિશ્ચય કર. પોતાના કોઈ ઉત્તમ કાર્ય કરનાર પૂર્વજની સાથે પોતાની સ્થિતિનો કર્તવ્યનો મુકાબલોસરખામણી કર. તેના જીવન સાથે તારું જીવન સરખાવ. પૂર્વજના ઉત્તમ જીવનો એ એક આરિસો છે તેમાં તારું મુખ જો અને જે ન્યૂનતા જણાય તે પૂર્ણ કરવા અને બની શકે તો તેથી પણ આગળ વધવા નિર્ણય કર.
ઉત્તમ જીવનવાળા પોતાના પૂર્વજો સાથે પોતાની સરખામણી કરતા પોતાની ન્યૂનતા સમજાય છે. તે સાથે તેમણે નિયમિત કરેલા