________________
ઉત્તમ પ્રકારનો જાપ
[૧૧ ] એકની ધારણા રાખવી. બેની સાથે ધારણા રાખવી નહિ.
ત્યાર પછી ત્યાંથી દષ્ટિ ઉપાડી પડખેની પાંખડી ઉપર રહેલા આચાર્ય તરફ ધ્યાન આપવું. અને પછી “નમો આયરિયાણં' આ પદ બોલવું. આચાર્ય મહારાજને નમસ્કાર થાઓ.” આ અર્થની છાપ મનમાં પાડવી. તે સાથે પીળા વર્ણની આચાર્યની મૂર્તિ કે અક્ષરોની ઝાંખી થાય ત્યાં સુધી સ્થિરતા રાખી કાંઈપણ ચિંતન કર્યા સિવાય તે ત્રીજા પદ ઉપર જ મનને ધારી રાખવું. ત્રીજા પદની ઝાંખી થયા પછી દષ્ટિ ત્યાંથી ખસેડી નીચેની પાંખડી ઉપર રહેલા ચોથા ઉપાધ્યાયજી તરફ દૃષ્ટિ સ્થાપવી. “નમો ઉવઝાયાણં' આ પદ બોલવું. સાથે ઉપાધ્યાયજી મહારાજને નમસ્કાર કરું છું. તે અર્થનું ધ્યાન રાખવું. પછી લીલા રંગની ઉપાધ્યાયજીની મૂર્તિ કે અક્ષરો જોવા. તેની ઝાંખી થયા પછી ત્યાંથી દષ્ટિ ઉઠાવવી.
પાંચમા પદ ઉપર રહેલા સાધુ મહારાજ તરફ દષ્ટિ સ્થાપીને નમો લોએ સવ્વસાહૂણં' એ પદ બોલવું. અને લોકમાં રહેલા “સર્વ સાધુઓને નમસ્કાર કરું છું' આ અર્થ ધારવો. સાથે કાળા વર્ણવાળી તે સાધુની મૂર્તિ દેખવી. અથવા “નમો લોએ એ મંત્રના કાળા અક્ષરો જોવા. તે દેખાયા પછી ત્યાંથી દષ્ટિ ખસેડવી નહી. દેખાય ત્યાં સુધી એકી નજરે એક ભાવનાએ જ મન ત્યાં સ્થિર જ કરી દેવું.
પછી સિદ્ધ ભગવાન્ને આચાર્ય મહારાજના વચલા ભાગ તરફના ખૂણામાં દષ્ટિ આપી ત્યાં “નમો દંસણસ્સ' એ પદ બોલવું. અને સમ્યગ્દર્શનને નમસ્કાર કરું છું. એ અર્થ ઉપર ધ્યાન આપવું. સાથે તે પદના બધા અક્ષરો ઘણા જ શ્વેત (ધોળા) છે તે દેખાયા પછી ત્યાંથી દષ્ટિ ખસેડવી.
તેના નીચલા ભાગના ખૂણામાં આવેલા જ્ઞાનપદ ઉપર દષ્ટિ સ્થાપવી અને “નમો નાણસ્સ” એ બોલવા; પછી જ્ઞાનને નમસ્કાર