________________
[ ૨૦b ]
ગૃહસ્થ ધર્મ
કુટુંબીના મરણ પછી રડવા કુટવાનું બંધ કરી આત્માને શાંતિ મળે માટે પરમાત્માનું સ્મરણ કરવું. ધર્મધ્યાનમાં ઉજમાળ થવું. દેહની અસારતાને યાદ કરી મોહ મમત્ત્વ ઓછું કરી ધર્મપરાયણ થવું તથા જે દેહીનો વિયોગ થયો છે તેના ઉત્તમ ગુણોનું વારંવાર સ્મરણ કરીને તેવા ગુણોનું અનુકરણ કરવા તત્પર થવું.
આ પ્રમાણે આ ગૃહસ્થ ધર્મ અહીં સમાપ્ત થાય છે તેમાંથી જે કાંઈ ગ્રહણ કરી, તે પ્રમાણે વર્તન કરવાને પોતાની શક્તિ હોય તે પ્રમાણે ગ્રહણ કરી આત્માને પવિત્ર કરો.
इति श्री तपागच्छीय श्रीमानमुक्तिविजयजीगणि शिष्य पन्यास कमलविजयजीगणि स्तच्छिष्य-पन्यास - केशरविजयजी गणि विरचित-श्रावकगृहस्थ - धर्म - नामक ग्रंथः विक्रमीय संवत्सरस्य एकोनविंशतिशतत्र्युत्तर सप्तति वर्षे पोष शुक्ल प्रतिपदे समाप्तः ॥