SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ તમે પ્રકૃતિને છેતરી શકશે નહિં. એકાંતની એકાંત ગુફામાં જઈને છુપું પાપ કરે તે પણ જે ભૂમી ઉપર ઉભા રહી તે પા૫ કરો છો તે ભુમી ઉપર ઉગેલું નિજીવ ઘાસ પણ તે વાતની સાક્ષી પુરશેજ. ૧છ હૃદયમાં પાપી વિચાર ઉત્પન્ન થાય છે તેના પરિ ણામે જ બાહ્ય જગમાં દુઃખદાયક બનાવે આપણને વિંટળાઈ વળે છે. આવા દુઃખનું ખરું કારણ ન જાણવાથી મનુષ્ય પોતાની સ્થિતિને દેષ દે છે, આસપાસના બનાવે ઉપર દેષ મૂકે છે. મિત્ર, બંધુ, સગા, આદિને દોષ કાઢે છે, પણ આ પરમ સત્ય વાત સર્વત્ર જાણીતી થવી જોઈએ કે, જગતની આંખમાં ધુળ નાંખવાનો પ્રયત્ન કરવાથી જ આપણે પિતે અંધ બનીએ છીએ. ૧૭ પ્રકૃતિને નિયમ ડેકે વગાડીને કહે છે કે પવિત્ર રહે ! છતાં અપવિત્રતાને આશ્રય લે તે દુઃખ ભોગવવાને પણ તૈયાર રહે. ૧૮ દૈવયોગે આવી પડતા વ્યાધિરૂપ અતિથિને જેઓ ઘટતે આદર સત્કાર કરસ્તા નથી તેઓ ખરેખર કંગાળ અને કૃપણજ છે, મતલબ કે વ્યાધિ, એ આત્મ જાગૃતિનું ઉત્તમ નિમિત્ત છે. ૧૯ દેહાધ્યાસ (અહંકાર) ને ત્યાગ કરો, અને પિતાને આત્મા એજ પરમાત્મા છે એ. સ્વાનુભવ કરે એ સર્વ પુસ્તને સાર છે.
SR No.022997
Book TitleNiti Vichar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKesarvijay Gani, Gyanshreeji
PublisherKantilal Manilal Khadkhad
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy