SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આવતા સંકટની આપણી દયાવૃત્તિ ઉપર ભારે અસર થાય છે. તેથી તેનું દુઃખ દૂર કરવા આપણે એકદમ કમર કસીને તૈયાર થઈએ છીએ. તે વખતે એટલે વિચાર કરવા પણ થંભતા નથી કે, આપણા કૃત્યનાં દેખીતાં અને પ્રત્યક્ષ પરિણામ કરતાં, છૂપાં અને પરોક્ષ પરિણામ વધારે વિશાળ અને દૂરગામી હોય છે નાના અનર્થને ટાળવા જતાં બીજો નહિ ધારેલ અનર્થ બીજી બાજુએથી છુપી રીતે ડેકું ઉંચુ કરે છે. અનેં તેની માઠી અસર વધારે વિશાળ અને બહાળા વિસ્તારમાં થાય છે. ૪૩ જે માબાપ બાળકને અત્યંત લાડ લડાવી તેને સ્વચ્છેદ પણે વર્તવા દે છે, વાંક આવ્યા છતાં પણ કોઈપણ જાતની શિક્ષા કરતાં અચકાય છે, અથવા જે માંગે તે લાવી આપી તેનું મન ન દુભાય તેની કાળજી ખે છે, તે માબાપ પોતાના બાળકના માટે દુઃખી જીવનને પાયે તૈયાર કરે છે. તે ૪૪ વસ્તુ સ્થિતિનું ખરૂં વરૂપ સમજવું અને વિકા ક૯પના શકિતના દોરાયા દોરાવું નહિં. આ બે વાતે હંમેશાં ધ્યાનમાં રાખવી. ૪૫ કરકસર કરવી, મિત વ્યયી થવું, નિરંતર ઉદ્યમમાં પ્રવૃત્ત રહેવું, વચન પાળવામાં નિયમિતપણું જાળવવું, અને ભવિષ્યને વિચાર કરી અગમચેતી રાખવી, એટલા ગુણ હાલના જમાનામાં સુધરેલી પ્રજાઓની
SR No.022997
Book TitleNiti Vichar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKesarvijay Gani, Gyanshreeji
PublisherKantilal Manilal Khadkhad
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy