SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન એમ લલકારતાં ગિરાજ સમાધિમાં લીન થઈ ગયા. તે પથિક તે અવધૂતની અદ્ભુત એકતાનતા, ભક્તિતન્મયતા દેખીને દિંગ જ થઈ ગયો. આવી નિર્વ્યાજ અપૂર્વ પરા ભક્તિ તેણે કયાંય પણ કદી ગિરાજની અદ્ભુત દીઠી નહોતી. અધ્યાત્મનિમગ્ન પરાભક્તિ ગિરાજ આવા ઉત્તમ કેટિના, ભક્તરાજ હાઈ ઉત્કૃષ્ટ ભક્તિ-અમૃતરસની આવી સરસ રસાદ્રતા નિષ્પન્ન કરી શકતા હશે, આબાદ. જમાવટ કરી શકતા હશે, એ તે એની કલ્પનામાં પણ નહોતું. તેને અત્યાર સુધી તે જ્યાં ત્યાં દેવાલયાદિમાં ધામધૂમની ધમાલ, કોલાહલ, બેસૂરા રાગડા, નાટકીઆ ગાયનની ઢબનાં નમાલાં જોડકણું આદિ જેવાનું–સાંભળવાનું મળ્યું હતું. આવી અપૂર્વ શાંતિમય ભક્તિ તેણે કયાંય અનુભવી નહોતી. એટલે ગિરાજ પ્રત્યેનો તેનો ભક્તિભાવ ઓર ને ઓર વધતે ચાલે, ને મેટેથી તેના ઉદગાર નીકળી પડયા–ધન્ય! ધન્ય !” એટલે ગિરાજ સહજ સમાધિમાંથી જાગ્રત થઈ પાછું વાળીને જુએ છે તે પથિકને દીઠે. પછી પ્રભુને વંદન કરી તેઓ બહાર નીકળ્યા. પથિક પણ પ્રભુને પ્રણામ કરી તેમની પાછળ પાછળ ચાલ્યું. પછી એક વૃક્ષની છાયા તળે વિશુદ્ધ શિલાપટ્ટ પર ચેગિરાજ દઢ આસન જમાવીને મનપણે બેઠા. પથિકને સંજ્ઞા કરી બેસવાનું કહ્યું, એટલે તે પણ યોચિત વિનોપચાર આચરીને બેઠે. ગિરાજનું મૌન પણ અદ્ભુત બેધ આપતું હતું. તેમની
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy