SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ - - - - - - - - - - - - - - - નિકિત પ્રોજન તે સીધા ઉપાદાન આત્માને જ વળગીએ, માત્ર અધ્યાત્મ સ્વરૂપનું જ ચિંતવન કરીએ. પણ શ્રેષ્ઠ અધ્યાત્મના ભય સ્થાન આ તેમનું માનવું ભૂલભરેલું છે, કારણ કે આલંબન વિનાનું તેવું અધ્યાત્મસ્વરૂપ ચિંતવન તે અતિ ઉચ્ચ અપ્રમત્ત દશાને પામેલા ઉત્તમ અધિકારીઓ માટે છે. પણ તેવી તથારૂપ ઉચ્ચ અધિકાર દિશા વિના સમયસાર-વેદાંત આદિ જેવા અધ્યાત્મ શાસ્ત્રો સ્વમતિપનાએ વાંચી, ઉપાદાનના નામે માત્ર અધ્યાત્મ સ્વરૂપ ચિંતવનની વાત કરવામાં અનેક દેષરૂપ ભયસ્થાને રહેલા છે. જેમકે-કવચિત તેથી જીવને વ્યાઍહિ ઉપજે છે. પિતાની તેવી આત્મદશા થઈ નહિં છતાં, પિતાની તેવી દશાની કલ્પનારૂપ બ્રાંતિ ઉપજે છે. “અહં બ્રહ્માસ્મિ'ને બદલે ભ્રમાસિમ થઈ જાય છે! કવચિત ભકિતરસની આદ્રતાના અભાવે શુષ્કતા આવી જાય છે, શુષ્ક અધ્યાત્મીપણું થાય છે. બંધ–મેલ તે કલ્પના છે એમ વાણીમાં બેલે છે, પણ પિતે તે મેહાવેશમાં વત્ત છે. એવું શુષ્કજ્ઞાનીપણું ઉપજે છે અને તેથી સ્વછંદાચારપાળું હોય છે, અથવા જ્ઞાનના અજીર્ણરૂપ-અપરિણમનરૂપ ઉન્મત્ત પ્રિલાપ થાય છે. અંતરને મેહ છૂટ નથી, “સકલ જગત તે એઠવત્ અથવા સ્વપ્ન સમાન' જાણ્યું નથી, અને એવી અમેહરૂપ જ્ઞાનદશા ઉપજી નથી, છતાં ઉન્મત્તની જેમ “વાચાજ્ઞાન” દાખવે છે કે “હમ તે જ્ઞાની હૈ, બંધેલા જ નહિં તે મુક્ત કૈસે હવે?” તેમજ કૃત્રિમતા, દાંભિક્તાદિ દોષ પણ ઉપજે છે. ઈત્યાદિ પ્રકારે અનેક દેષની ઉપપત્તિ, એકલા નિરાલંબન અધ્યાત્મ ચિંતનમાં સંભવે છે. પણ
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy