SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ રુચિથી પ્રવૃત્તિ ઃ ઇચ્છાયેગ અદ્ભુત જ્ઞાનાદિ ગુણસંપદા મને હોય તે કેવું સારું ! આ સ્વરૂપના સ્વામી આનંદઘન પ્રભુના પરમાનંદને લાભ મને પ્રાપ્ત થાય તો કેવું સારું છે “જ્ઞાનાદિક ગુણ સંપદા રે, તુજ અનંત અપાર; તે સાંભળતાં ઉપની રે, રુચિ તિણે પાર ઉતાર. અજિતજિન ! તાર દીનદયાળ !” શ્રી દેવચંદ્ર “અહા ! આ બહુ સુખી છે. એને ભય પણ નથી. શેક પણ નથી. હાસ્ય પણ નથી. વૃદ્ધતા નથી રેગ નથી. આધિયે નથી. વ્યાધિ નથી, ઉપાધિ નથી. એ બધુંય નથી. પણ x x x અનંત અનંત સચ્ચિદાનંદ સિદ્ધિથી, તેઓ પૂર્ણ છે. આપણને એવા થવું છે.”–શ્રીમદ રાજચંદ્ર, પત્રાંક ૨૧ અને આવી ચિ તેને ઉપજે છે, એટલે પછી તે પિતાનું પરમાનંદમય નિજ સ્વરૂપ પ્રગટ થાય એટલા માટે તે શ્રીમ જિનેશ્વર ભગવાનને નિરંતર ચિથી પ્રવૃત્તિ પિતાના પરમ પૂજ્ય આદર્શ સ્થાને સ્થાપી-સુપ્રતિષ્ઠિત કરી, તેને પરમ આરાધ્ય, સાધ્ય, ઉપાસ્ય, સેવ્ય માની, પરમ રુચિપૂર્વક તેની આરાધનામાં–સાધનામાં-ઉપાસનામાં સેવનામાં એકનિષ્ટ થઈ, તેમની પરમ ઉત્સાહથી ભક્તિ કરે છે, પરમ આત્મોલ્લાસથી આરાધના કરે છે, પ્રભુ “ચરણ”ની ભાવસેવા કરે છે. આમ જેમ જેમ રુચિ વધે છે તેમ તેમ તે રૂચિને અનુસરતું આત્મવીર્ય પ્રવર્તે છે, અને તે “ચિ–અનુયાયી વીર્ય ચરણુધારા સધે” છે –આત્મચારિત્રની અખંડ ધારા સાધે છે. “ઓળખતાં બહુમાન સહિત રુચિ વધે લાલ
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy