SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાથને સાધક તે જ સદ્વ્યવહાર જિનવાણ પણ પરમાર્થ સાધક પરમાર્થને સાધક વ્યવહારના વિવરણરૂપ છે. એટલે તે જ સદ્વ્યવહાર પરમાર્થમૂળ જિનવચનસાપેક્ષ જે વ્યવહાર છે તે સારો વ્યવહાર છે, બાકી બીજે બધે વચનનિરપેક્ષ વ્યવહાર તે જૂઠે વ્યવહાર છે. કેટલાક લેકે ગ૭-મતની જે કલ્પના છે તેને વ્યવહાર માની બેઠા છે, વાડાના કદાગ્રહ સાચવવામાં ને પોષવામાં જ વ્યવહારની પર્યાપ્તિ માની બેઠા છે, પરંતુ તે તે અસવ્યવહાર છે, તે તે અલૌકિક લેકેત્તર માર્ગને લૌકિક કરી મૂકવા જેવું છે, કારણ કે જ્યાં ભગવાન્ જિનેશ્વરને પરમ ઉદાર સુવિશાલ તત્ત્વમાગે ? ક્યાં ક્ષુદ્ર મતભેદના નિવાસસ્થાનરૂપ સંકુચિત ગચ્છભેદના નામે ચાલતા સાંકડા ચીલા ? તે બન્નેને મેળ કેઈ કાળે થાય એમ નથી. વર્તમાન કાળમાં ઘણું લેકે ગચ્છ-કદાગ્રહ ને પોતપોતાના “વાડા” સાચવવામાં શૂરા–પૂરા છે, છતાં તત્તવની મેટી મોટી વાતો કરતાં લાજતા નથી ! આ પણ કાળની બલિહારી છે ! “ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં, તવની વાત કરતાં ન લાજે? ઉદરભરણાદિનિજ કાજ કરતાં થકાં, મેહનડિયા કલિકાલ રાજે. ધાર તરવારની સેહલી, દહલી ચૌદમા જિનતણી ચરણસેવા.” શ્રીમાન્ આનંદઘનજી. સાચો વ્યવહાર તે શુદ્ધ આત્મારૂપ સત્ વસ્તુને જે સાધ્ય કરે, તેના સાધનમાં જે નિમિત્તભૂત થઈ ઉપકારી થાય, તે છે. દર્શન-જ્ઞાન–ચારિત્ર એ સવ્યવહાર સાધન આત્માનું સ્વરૂપ છે, એટલે સમ્યગ દશન-જ્ઞાન-ચારિત્રની જેથી વૃદ્ધિ,
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy