SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ તપોરન રત્નાકર શેઠને દશ પુત્ર થયા. શેઠે પાષદશમીનું સારી રીતે ઉદ્યાપન કર્યું. પ્રાંતે ગુરુમહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. છઠ્ઠ−અઠ્ઠમની તપશ્ચર્યા કરતાં છેવટે કાળધર્મ પામી દશમા દેવલાકે ઉત્પન્ન થયા. ત્યાં વીશ સાગરોપમનુ' આયુષ્ય ભોગવી, વીને મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયને વિષે મંગલાવતી નગરીમાં સિંહસેન રાજવીની ગુણસુંદરી નામની પટ્ટરાણીની કૂખે જયસેન પુત્ર તરીકે જન્મશે. કેવલજ્ઞાન પ્રાપ્ત કરી પ્રાંતે સિદ્ધગતિ પ્રાપ્ત કરશે. ૩૫૮ ભગવત મહાવીરના મુખથી પાષદશમીના આવા અચિન્હ પ્રભાવ તણી શ્રેણિક મહારાજાએ તે પવિત્ર દિનની અતિ પ્રશ’સા કરી.] આ તપ પાષ દશમી એટલે ગુજરાતી માગશર વદ દશમના દિવસને અનુસરીને થાય છે. તેમાં પ્રથમ નવમીને દિવસે સાકરના પાણીનું એકાસણું કરવુ. ને ઠામ ચેાવિહાર કરવા. દશમીને દિવસે એકાસણું કરી ઠામ ચાવિહાર કરવા તથા અગિયારશને દિવસે તિવિહારું' એકાસણું કરવું. એકાસણું કરીને ત્રિવિધ આહારનુ' પચ્ચકખાણુ કરવુ. ત્રણે દિવસ બ્રહ્મચ પાળવું. બન્ને વખત પ્રતિક્રમણ કરવુ'. જિનમ'દિરમાં જઈ અષ્ટ પ્રકારી અથવા સત્તરપ્રકારી પૂજા ભણાવવી. સ્નાત્ર મહાત્સવ કરવા. નવ અગે આડ’બરપૂર્ણાંક ભગવાનની પૂજા કરવી. ગુરુ પાસે આવી સિદ્ઘાંતનું શ્રવણ કરવું. આ પ્રમાણે દશ વર્ષ સુધી કરવુ, વળી તપને દિવસે (માગશર વદ ૧૦ મે) પૌષધ કરવા.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy