SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ અઠ્ઠાવીશ લબ્ધિ તપ ૨૪૭ અનેક વૃક્ષાદિકનાં ફૂલેની ઉપર પગ ઉપાડીને મૂકીને ચાલવા છતાં ફૂલના જેને કોઈ પણ પીડા ન થાય તેવી ચાલવાની શક્તિ તે પુષ્પચારણ લબ્ધિ. અનેક વૃક્ષે પર રહેલાં પત્ર પર પગ મૂકી ઉપાડીને ચાલવા છતાં પત્રના જીને કાંઈ પણ પીડા ન ઉપજે તેવી ચાલવાની શક્તિ તે પત્રચારણુ લબ્ધિ. ચાર જન ઊંચા નિષધ અને નીલવંત પર્વતની ટંકઝિન્ન શ્રેણિઓને અવલંબીને, ઉપર ચડવાની તેમજ નીચે ઉગરવાની શક્તિ તે શ્રેણિચારણુ લધિ. અગ્નિની બળતી જવાલાઓ ઉપર એટલે શિખાઓ ઉપર ચાલે તે પણ અગ્નિના જવેને પીડા ન ઉપજે એવી ચારાની શક્તિ તે અગ્નિશિખાચરણ લધિ. ધૂમાડો ઉપર જાય અથવા તી–આડે જાય તે પણ તે ધૂમાડાના અવલંબનવડે આકાશમાં અખલિત ગતિ કરવાની જે શક્તિ તે ધમાચારણ લધિ. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર કે તારા વિગેરે કોઈ પણ તેજસ્વી પદાર્થનાં તેજનાં કિરણોના આલંબનથી આકાશમાં ગમન કરવાની શક્તિ તે તિરહિમચારણુ તાધિ. પ્રાતઃસ્મરણીય શ્રી ગૌતમસ્વામી અષ્ટાપદ પર્વત પર સૂર્યનાં કિરણો અવલંબીને ચડ્યા હતા તે આ જ લબ્ધિના પ્રભાવથી. આવી રીતે નિહારચારણ, અવશ્યાયચારણ, મેઘચારણ,
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy