SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ અઠ્ઠાવીશ લબ્ધિ તપ ૨૪૫ દ્વિપમાં રહેલા સંસી પંચેન્દ્રિય જીવોના મને ગત ભાવને વિશેષપણે જાણે. ૧૦. ચારણુલબ્ધિ -મુનિવરને આકાશગમન કરવાની શક્તિ પ્રાપ્ત થાય તેના બે પ્રકાર છે. (૧) જંઘાચારણવચ્ચે વિસામો લીધા વિના જ તેરમા રુચક દ્વીપ સુધી જઈ ત્યાં શાશ્વત ચૈત્યને વંદન કરી પાછાં વળતાં એક વિસામે આઠમા નંદીશ્વર દ્વીપે આવી, ત્યાં શાશ્વત ચૈત્યોની વંદના કરી બીજું ઉડ્ડયન કરી સ્વસ્થાને આવે. (૨) વિદ્યાચારણપ્રથમ ઉડ્યને માનુષોત્તર પર્વત સુધી જઈ ત્યાં શાશ્વત ચૈત્યને વંદન કરી, બીજા ઉદ્યને નંદીશ્વર દ્વીપે આવે. ત્યાં શાશ્વત ચિત્યને વંદન કરી, ત્યાંથી એક જ ઉયને સ્વસ્થાને આવે. આ તીર્થોગતિ કહી. ઉર્વગતિને અંગે જંઘાચારણ મુનિ એક જ ઉયને મેરુપર્વતના શિખર પર રહેલા પાંડુકવન સુધી જઈ, ત્યાં શાશ્વત ની વંદના કરી, પાછાં ઉતરતાં એક ઉદયનથી નંદનવનમાં આવી, ત્યાં શાશ્વત ચેત્યેને વંદન કરી, બીજા ઉદ્યને સ્વસ્થાને આવે. વિદ્યાચારણ મુનિવરો પ્રથમ ઉયને ભૂમિથી પ૦૦ જન પર આવેલા મેરુપર્વતના નંદન વનમાં જઈ, ત્યાં શાશ્વત ને વાંદી, બીજા ઉથને મેરુના શિખર પર એટલે નંદનવનથી ૯૮૫૦૦ એજન પર રહેલા પાંડુક વનમાં આવી, ત્યાં શાશ્વતા ને વંદન કરી, પાછા ઉતરતાં એક જ ઉડ્ડયને સ્વસ્થાને આવે.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy