SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ તપોરન રત્નાકર દેવદો વિગેરે વ્યંતર દેવે કરે છે. જો કે ચારે નિકાયના દે મળીને સમવસરણ રચવામાં આવે છે, છતાં કઈ ઉત્તમ દેવ ધારે તે એક પણ સમવસરણ રચી શકે છે, આ વર્ણન વૃત્ત(ળ) સમવસરણનું જાણવું. ચોરસ સમવસરણનું વૃત્તાંત “લેકપ્રકાશ” ગ્રંથથી જાણી લેવું.] श्रावणमथ भाद्रपदं कृष्णप्रतिपदमिहादितां नीत्वा । षोडश दिनानि कार्य, वर्षचतुष्कं स्वशक्त्या तपः ॥१॥ સમવસરણની આરાધના માટે આ તપ છે. તેમાં ગુજરાતી શ્રાવણવદ એકમને દિવસે આરંભીને પોતાની શક્તિ પ્રમાણે બેસણું અથવા એકાસણું વિગેરે કરવું. એ રીતે સોળ દિવસ કરવું. હંમેશાં સમવસરણની પૂજા કરવી. આ આ પ્રમાણે ચાર વર્ષ કરવું, ઉદ્યાપને (દર વરસે) સમવસરણની મેટી સ્નાત્ર વિધિએ પૂજા કરી છ વિગઈની વસ્તુ એના થાળ (પફવાન ફળ વિગેરે) કવા. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ સાક્ષાત તીર્થકરનું દર્શન થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. પ્રવચનસારોદ્ધાર વિગેરેમાં એવું કહ્યું છે કે પહેલે વરસે સેળ એકાસણા, બીજે વરસે સોળ નીવી, ત્રીજે વરસે સેળ ઉપવાસ કરવા. જે લાગેટ ઉપવાસ ન કરી શકે તે ચાર ચાર ઉપવાસને આંતરે પારણું કરવું એમ જૈન પ્રબંધમાં કહ્યું છે.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy