SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ તરત્ન નાકર ૧૦૩ ૫ શ્રી અક્ષયસ્થિતિ ગુણધારકાય નમ: ૬ શ્રી અમૂર્ત ગુણધારકાય નમઃ ૭ શ્રી અગુરુલઘુ ગુણધારકાય ૮ શ્રી અનન્ત વીર્ય ગુણધારકાય કાર્યોત્સર્ગ, સાથીયા, તથા ખમાસમણા કર્મપ્રકૃતિ પ્રમાણે કરવા. જે દિવસે જે કર્મને તપ ચાલતું હોય તે દિવસે તે કર્મની પૂજામાંથી એક એક ઢાળ અનુક્રમે ભણાવવી (સ્નાત્ર સહિત) (તેની રીત ચેસઠ પ્રકારી પૂજામાંથી જાણવી.) ઉજમણમાં આઠ કમની ૧૧૮ પ્રકૃતિ સૂચવનારું આઠ શા ને ૧૫૮ પત્રોવાળું રૂપાનું વૃક્ષ અને કર્મવૃક્ષના છેદને માટે તેના મૂળમાં મૂકવાને સોનાન કુહાડે તથા ચેસઠ મોદક જ્ઞાનની પાસે હેકવા અથવા દેવની પાસે કવા. જ્ઞાનની પૂજા કરવી તથા દાન દેવું. મોટી સ્નાત્રવિધિએ જિન પૂજા કરવી. સંઘ વાત્સલ્ય કરવું. એ રીતે પ્રથમ ઓળી થઈ. એવી આઠ ઓળી કરવી, એટલે ચોસઠ દિવસે કર્મસૂદન તપ પૂર્ણ થાય. આ તપનું ફળ કર્મને ક્ષય થાય એ છે. આ સાધુ તથા શ્રાવકને કરવા લાયક આગાઢ તપ છે. અથવા બીજી રીતે આ તપ આ રીતે પણ કરવામાં આવે છે. પ્રથમ એક અઠ્ઠમ કરે. પછી સાઠ એકાંતર ઉપવાસ કરવા, તથા છેલ્લે એક અઠ્ઠમ કરે. કુલ ૬૬ ઉપવાસ અને દર પારણા થવાથી ચાર માસ અને આઠ દિવસે આ તપ પૂર્ણ થાય છે. આ વિધિએ તપ કરતાં સિદ્ધપદનું ગરણું ગણવું. જ્ઞાન, ગુરુ અને સંઘની ભક્તિ કરવી. ઉદ્યાપન ઉપર પ્રમાણે કરવું.(જૈનધર્મસિંધુ.)
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy