SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમું : ભયાભણિજ્ય તે પછી તેનું ભક્ષણ હોંશે હોંશે શા માટે કરવામાં આવે છે? તે સમજી શકાતું નથી. વળી માખણ કરતાં ઘીને ઉપગ ઈષ્ટ છે, કારણ કે માખણ ચેડા વખતમાં ઉતરી જાય છે અને તે ઉતરેલું માખણ વમન, હરસ, કઢ, કફ તથા મેદાને ઉત્પન્ન કરે છે, જ્યારે ઘી લાંબા સમય સુધી ઉતરી જતું નથી અને તે રસાયન, મધુર, નેત્રને હિતકારી, અગ્નિદીપક, શીતવીર્યવાળું, બુદ્ધિવર્ધક, જીવનપ્રદ, શરીરને કેમળ રાખનારું, બલ, કાંતિ અને વીર્યને વધારનારું, મલનિઃસારક અને ભેજનમાં મીઠાશ આપનારું છે. એટલે આપણા પ્રાચીન રિવાજ મુજબ સવારના નાસ્તામાં ખાખરા, ઘી, દહીં, દૂધ વગેરેને ઉપગ કરે ઈષ્ટ છે, પણ પાઉં-રોટી અને માખણને ઉગ કરે ઈષ્ટ નથી. અહીં એ વાતનું સ્પષ્ટીકરણ કરવું ઉચિત ગણાશે કે સ્વયં પાક અથવા દરેક કુટુંબે પિતાનું ભેજન તૈયાર કરી લેવાની પ્રથામાં ભણ્યાભશ્યને જે વિવેક જાળવી શકાય છે, તે ધંધાદારી દષ્ટિએ ચલાવવામાં આવતી વસી, લેજે કે હોટલમાં ખાણું લેવાથી જાળવી શકાતું નથી, ખાસ કરીને હોટલનાં ખાણામાં અભક્ષ્યને ઉપગ વિશેષ થાય છે, તેથી મુમુક્ષુઓએ તેનાથી દૂર રહેવું ઘટે છે. (૯) માંસ-પચેંદ્રિય પ્રાણીઓને વધ કર્યા સિવાય માંસ તૈયાર થતું નથી. વળી તેમાં પળે પળે અનેક સંમૂછિમ જીવે ઉત્પન્ન થાય છે, એટલે માંસને સર્વથા અભક્ષ્ય ગણવામાં આવ્યું છે. કહ્યું છે કે –
SR No.022953
Book TitleBhakshyabhakshya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy