________________
ધર્મબોધ-
માળ
: ૩૨ :
ઃ પુષ
બગાડે તેવા અભક્ષ્ય પદાર્થોનાં વ્યસનથી દૂર રહેવું અને શુદ્ધસાત્વિક પદાર્થોવડે જ જીવનયાત્રા કરવી.
શરાબને દુનિયાના કોઈ પણ ધર્મે ઈષ્ટ માન્ય નથી, એટલું જ નહિ પણ રાજ્યોએ પણ તેની ભયાનકતાને પિછાણી તેને દેશવટે દેવાનું ઈષ્ટ માન્યું છે. શ્રી હેમચંદ્રાચાર્યના ઉપદેશથી મહારાજા કુમારપાળે પિતાના રાજ્યમાં સાતે વ્યસનને નિષેધ કર્યો હતો, જેમાં દારૂબંધીને સમાવેશ થતો હતે. અને આજે પણ ભારતવર્ષ તથા બીજા રાજ્ય દારૂબંધીને પ્રયાસ કરી રહ્યા છે, જે માનવસમાજ માટે હિતકારી છે.
(૮) માખણુ–કાશમાંથી બહાર કાઢ્યા પછી અંત. મુહૂર્ત થયે તેમાં ઘણું સૂક્ષ્મજંતુઓના સમૂહ પેદા થાય છે, તેથી તે અભક્ષ્ય ગણાયું છે. કહ્યું છે કે–
एकस्यापि हि जीवस्य हिंसने किमपं भवेत् ? जन्तुजातमयं तत्को नवनीतं निषेवते ? ।।
એક પણ જીવને મારવામાં અત્યંત પાપ છે, તે જંતુ એના સમુદાયથી ભરપૂર આ માખણનું કેણુ ડાહ્યો મનુષ્ય ભક્ષણ કરે? અથત દયાળુ માણસ તે ભક્ષણ ન જ કરે.
પશ્ચિમના લેકના વધારે પડતા સંસર્ગથી આપણ લેકે પણ “બ્રેડ અને બટર” એટલે “પાઉં રેટી અને માખણને ઉપયોગ કરવા લાગ્યા છે, તે ધાર્મિક દૃષ્ટિએ ઉચિત નથી જ. પાઉં રેટી આટામાં જે પ્રકારને આથે લાવીને બનાવવામાં આવે છે તે રીતે–અભક્ષ્ય છે અને સાત્વિકતાની દષ્ટિએ પણ રોટલા, રોટલી, ખાખરા, પૂરી કે શકરપારા કરતાં ઉતરતી છે,
2 અક્ષય
તિવી