________________
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
દ ન જાવ તત્વ ચૈતન્ય લક્ષણ, * સદા સઉપયોગી, અસંખ્યાત પ્રદેશ, સુખ દુઃખનો જાણ, સુખ દુઃખનો વેદક, અરૂપી હોય તેને જીવ તત્ત્વ કહીએ.
જીવના ભેદો વિસ્તારથી કહે છે જીવનો એક ભેદ છે, સકળ જીવોનું ચૈતન્ય લક્ષણ એકજ પ્રકારે છે તે માટે સંગ્રહાયે કરીને એક ભેદે જીવ કહીએ, બે પ્રકારે પણ જીવ કહીયે, ૧ ટસને ૨ સ્થાવર તથા ૧ સિદ્ધ અને ૨ સંસારી. ત્રણ પ્રકારે જીવ. ૧ સ્ત્રી વેદ, ૨ પુરૂષ વેદને ૩ નપુંસક વેદ તથા ૧ ભવ સિદ્ધિયા, ૨ અભવ સિદ્ધિયા, ૩ નોભવ સિદ્ધિયાનો અભવસિદ્ધિયા, ચાર પ્રકારે જીવ. ૧ નારક, ૩ તિર્યંચ, ૩ મનુષ્યને ૪ દેવતા તથા ૧ ચક્ષુદર્શની ૨ અચક્ષુદર્શની ૩ અવધિદર્શની, ૪ કેવળદર્શની પાંચ પ્રકારે જીવ ૧ એકેદ્રિય, ૨ બેઈદ્રિય, ૩ તેઈદ્રિય, ૪ ચૌરેંદ્રિય, પ પંચંદ્રિય તથા ૧ સોગી, ૨ મન જોગી, ૩ વચન જોગી, ૪ કાય જોગી, ૫ અજોગી, છ પ્રકારે જીવ ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાઉકાય, પ વનસ્પતિકાય, ૬ ત્રસકાય, તથા ૧ સકષાયી, ૨ ક્રોધકષાયી, ૩ માનકષાયી, ૪ માયાકષાયી, ૫ લોભકષાયી, ૬ અકષાયી, સાત પ્રકારે જીવ ૧ નારકી, ૨ તિર્યંચ, ૩ તિર્યંચણી, ૪ મનુષ્ય, ૫ મનુષ્યણી, ૬ દેવતા, ૭ દેવી આઠ પ્રકારે જીવ ૧ સલેશી, ૨ કૃષ્ણલેશી, ૩ નીલશી, ૪ કાપોત-લેશી, ૫ તેજુલેશી, ૬ પદ્મલેશી, ૭ શુક્લલેશી, ૮ અલેશી, નવ પ્રકારે જીવ ૧ પૃથ્વી, ૨ અપ, ૩ તેલ, ૪ વાઉ, ૫ વનસ્પતિ, ૬ ! બેઈદ્રિય, ૭ તેઈદ્રિય, ૮ ચૌરેન્દ્રિય, ૯ પંચેન્દ્રિય.
* જેમ ગોળનો ગુણ મીઠાશ તેમ જીવના ગુણ ચૈતન્ય. જેમ ગોળ અને મીઠાશ એક તેમ જીવ અને ચૈતન્ય એક. ૧. મોક્ષ પામવાની લાયકાત ૨. મોક્ષ પામવાની લાયકાત વગરના ૩. સિદ્ધ ભગવાન