SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુણસ્થાનાર ૨૦૧ ગાથા. મદ્ય*, વિષય, કસાય, નિદ્રા, વિકહા, પંચમાં ભણિયા, એએ પંચ પમાયા, જીવા પાડતિ સંસારે. એ પાંચ પ્રમાદ છોડે તેને શું ગુણ નિપજ્યો ? તે જીવ જીવાદિ પદાર્થ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી તથા નોકારસી આદિ દઈને છમાસી તપ ધ્યાન જુગતપણે જાણે, સદહે, પ્રરૂપે, ફરસે, તે જીવ જઘન્ય તેજ ભવે મોક્ષ જાય, ઉત્કૃષ્ટો ત્રીજે ભવે મોક્ષ જાય. ગતિ તો પ્રાયઃ કલ્પાતીતની થાય. ધ્યાનને વિષે, અનુષ્ઠાનને વિષે અપ્રમત્ત ઉદ્યત થકાં રહે છે. તથા શુભ લેશ્યાપણે જ કરીને નથી પ્રમત કષાય જેને અપ્રમત્ત સંજતિ ગુણઠાણું કહિયે. આઠમું નિયષ્ટિ બાદર ગુણઠાણું - તેનું શું લક્ષણ ? ગૌતમસ્વામી હાથ જોડી માન મોડી શ્રીભગવંતને પૂછતા હવા સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નીપજ્યો ? તે વારે શ્રી ભગવંતે કહ્યું, પરિણામધારા, અપૂર્વ કરણ જે કોઈ કાળે જીવને, કોઈ દિને આવ્યું નથી, તે શ્રેણિ જુગત જીવાદિક પદાર્થ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નોકારસી આદિ દઈ છમાસી તપ, જાણે, સદહે, પ્રરૂપે, ફરસે, તે જીવ જઘન્ય તેજ ભવે મોક્ષ જાય. ઉ૦ ત્રીજે ભવે મોક્ષ જાય અહીંથી શ્રેણિ ૨ કરે. ઉપશમશ્રેણિ, ને ક્ષપકશ્રેણિ. ઉપશમ શ્રેણિવાળો જીવ તે મોહનીય કર્મની પ્રકૃતિના દલને ઉપશમાવતો અગ્યારમાં ગુણઠાણા સુધી જાય, પડિવાઈજ થાય. હિયમાન પરિણામ પરિણમે અને ક્ષપક શ્રેણિવાળો જીવ તે મોહનીય કર્મની પ્રકૃતિના દલને ખપાવતો + મદ્ય - જેની આદત પડી જાય તેવું કેફી પીણું (ચા-કોફી-મદિરા) (જુગતપણે – સાથે, (તપ અને ધ્યાન બન્ને સાથે)
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy