SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ કર્મની પ્રકૃતિ ૧૪૩ ૫ આયુષ્ય કર્મનો વિસ્તાર. આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિ. તે ૧ નારકીનું આયુષ્ય, ૨ તિર્યંચનું આયુષ્ય, ૩ મનુષ્યનું આયુષ્ય, ૪ દેવનું આયુષ્ય. આયુષ્ય કર્મ સોળ પ્રકારે બાંધે, તેની વિગત. નારકીનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે તે. ૧ મહા આરંભ, ૨ મહા પરિગ્રહ ૩ કુણિમ આહાર, ૪ પંચેંદ્રિય વધ, એવં ચાર. તિર્યંચનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે તે. ૧ માયા સહિત અલિક, ૨ નિવડ માયા અલિક, ૩ અલિક વચન, ૪ ખોટાં તોલ ખોટાં માપ, એવં ચાર કુલ આઠ. મનુષ્યનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે તે. ૧ ભદ્ર પ્રકૃતિ, ૨ વિનયપ્રકૃતિ, ૩ સાનુક્રોશ, ૪ અમત્સર, એવં ચાર. કુલ બાર. દેવનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે તે. ૧ સરાગ સંયમ, ૨ સંયમાસંયમ; ૩ બાલતવોકર્મ, ૪ અકામ નિર્જરા, એવં ચાર. કુળ સોળ. આયુષ્ય કર્મ ચાર પ્રકારે ભોગવે, ૧ નારકી, નારકીનું ભોગવે, ૨ તિર્યંચ, તિર્યંચનું ભોગવે, ૩ મનુષ્ય, મનુષ્યનું ભોગવે, ૪ દેવ, દેવનું ભોગવે. આયુષ્ય કર્મની સ્થિતિ. નારકી અને દેવની સ્થિતિ, જઘન્ય દશ હજાર વર્ષને અંતર્મુહૂર્ત અધિક; ઉત્કૃષ્ટ તેત્રીશ સાગર ને પૂર્વ ક્રોડીનો ત્રીજો ભાગ અધિક. મનુષ્ય અને તિર્યંચ. એ બેની સ્થિતિ, જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્ય ને પૂર્વક્રોડીનો ત્રીજો ભાગ અધિક.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy