SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ સાઈઠમું ] સ્વાન ગસત્ર [ ૩૬૭ ન સમજ્યા ત્યાં સુધી કેવલી મળે તે પણ કંઇ નહિ. મેર બને તે વરસાદના ગજરવથી આનંદ પામે, કાગડાને શું ? પોતાનું સાચવી વધારાનું કરનારા ઉત્તમ જન્મમરણુની ભીંતમાં કાણું પાડા ! જિનેશ્વર કેવળ પામી પ્રથમ જુએ છે કે જગતના જીવો કેદમાં કલ્લોલ માની રહ્યા છે. માતામuત જન્મજરામરણથી પીડાઈ રહ્યા છે. સનેપાત ફાટી નીકળ્યા હેય તેવાને પરોપકારી વૈદ દેખે તે તેના અંતઃકરણમાં શું થાય? આ ઉપકારી મહાપુરુષ જગતને સનેપાતમાં કૂદાકૂદ કરતું દેખે તે શું થાય? આ તે અશરણું અહીં માવજત કરનારો કઈ નથી. પ્રાચીનકાળમાં કોલેરાના કેસ થતા.ઘરમાં દસ હોય તે દસના ખાટલા. ત્યારે ફાટી નીકળ્યો કહેવાય. જમત્ તરફ જ્ઞાની દેખે ત્યારે જ્ઞાનીને શું થાય ? એક પણ માવજત કરનાર નથી. અહીં જગતની સ્થિતિ દેખે છે ત્યાં જન્મમરણથી પીડિત અશરણ છે. આધાર કાઇ નથી. આ દેખી ત્રિલેકનાથ તીર્થકરોએ શાસનની સ્થાપના કરી. જિનેશ્વ એ કેવળથી જાણ્યા પછી જગતને જોવાનું કામ પ્રથમ કર્યું. એક જ કારણ. જેનામાં કામ અધૂરું હોય તેમાં ચિત્રાવેલ પૂરું કરી દે, પણ પૂરામાં પડેલી ચિત્રાવેલ નકામી નથી. આત્મામાં ચિત્રાવેલ દાખલ થઈ. ધર્મમાં સંપૂર્ણ કરી નાંખે. ધર્મ દેવાની બુદ્ધિ થાય તે છલોછલ ધર્મ થાય. કલ્પના ખાતર કેવળજ્ઞાની તે જ ક્ષણે ક્ષે જાય તે નડતું નથી પણ જીવ્યા તેટલું જીવી જાએ તે જગત ઉપર ઉપકાર થાય. તે પ્રમાણે હોય નહિ. તીર્થકર મધ્યમ આયુષ્યવાળા હોય અને કેવળ પછી આયુષ્ય હોય, માટે તીર્થકર માનીએ છીએ. લેવાદેવા વગર જગતને ઉદ્ધાર કરવાવાળા માટે ઉત્તમ. પિતાનું સાચવી વધારાનું કરનાર ઉત્તમ. હિંસા એટલે મરણ ગણધર મહારાજ પ્રત્રજ્યા પામે તે સાથે જગતના ઉદ્ધારને સાધન ઊભું કરે. આચાર માટે આચારગ, વિચાર માટે સૂયગડાંગ
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy