SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીસમું ] સ્થાનાંગસૂત્ર [ ૧૩૯ ખસતી નથી. માબાપે ચાહે તેવા રોકયા. આઠ સ્ત્રી પરણાવી દીધી. કેઈ પણ પ્રકારે વૈરાગ્યભાવના ઓછી ન થઈ. આ જંબુસ્વામીજીમાં પ્રભાવ શાનો? અહીં જે પહેલાંના સંસ્કારે ન લઈએ તે સર્વ જીવો એવી દશામાં કાં ન આવે ? જે ચારિત્રની આરાધના કરે તેને ભવાંતરમાં સંસ્કાર લઈ જવાનું બને છે. જંબુસ્વામીજી પહેલા ભવમાં રાજકુમાર. રાજકુમારપણામાં પિતે દીક્ષાના અભિલાષી. એ અભિલાષામાં કેટલાક લેકે એ રૂપે દષ્ટાંતને લઈ શકશે કે માબાપે ના કહ્યું તેથી રહી ગયા. તે જ દષ્ટાંતને આત્માથીની દૃષ્ટિએ જોવા માં આવે તો એ દષ્ટાંત કાળજાને કોતરી નાખે એવું છે. રાજ્ય સ્થિતિમાં વર્ષો સુધી છઠ્ઠ છેટું પારણાં કરવાં, કઈ સ્થિતિએ ? રાજકુમાર છે. ટ્રે પારણું. પારણું ત્યારે અબેલ. આપણો ઘણે ભાગે ત્યાગ જ પોલે. અહીં તે છ વિગઇને ત્યાગ કરે, કાચી છ વિગઈન નહિ. આ તે આંબેલ. તે પણ છ છઠ્ઠને પારણે. રાજકુંવરની સ્થિતિ. એને કઈ કહેવા નહિ આવતા. હેય? રાજકુમાર જ્યારે આંબેલ કરે છે ત્યારે રાજારાણીને, કુટુંબને, દરબારી મનુષ્યને કાંઈ લાગ્યું હશે ? કઈ કહેવા આવ્યા હશે ? જે આવું આપણે ઘેર બને તે બધાં કહેવા લાગે. પાડોશી કહેવા લાગે. એમને ન બનતુ હશે? એના ઉપર કઈ જાતના પ્રહારો હશે? એમાં કા, એટલું જ નહિ પણ ચારિત્ર લેવા તૈયાર થયેલ હય, બે ચાર મહિનામાં ચારિત્ર મળી ગયું તો લાઇનમાં ચઢશે. જે ન મળ્યું તે ગઈ વાત. ન મળ્યા છતાં પરિણતિ ટકવી તે કઈ દિશાએ? પહેલે છૂટો ફરતો હોય. ધંધામાં જે ગયો તે ચારિત્રનું નામ ચૂકી જાય. પરયે ન હોય, પરણે તે ચારિત્રનું નામ ચૂકી જાય. રાજકુમારને સ્ત્રી, સસરા તરફથી ગોદા મારવામાં બાકી રહ્યું હશે કે ? એ આમા ચારિત્રમાં કેટલે રંગાયેલા હશે? “માબાપ કંટાળે, રજા આપે તે ચારિત્ર લઉં,' આ મુદાએ તપસ્યા કરી. ભવદતના ભવમાં જે વિરાધના કરી તે વિરાધના જ અહીં નુકશાન કરનારી થઈ. જિંદગી સુધી ઉછાળો માર્યો.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy