SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પાંત્રીસમું ] સ્થાનાંગસૂવ [ ૧૩૫ ભાષાની ઉત્પત્તિ ને મહાવ્રતની ઉત્પત્તિ ભાષાની ઉત્પત્તિ રાજ્યાભિષેક વખત. મહાવ્રતની ઉત્પત્તિ દીક્ષા વખતે. ભાષા વ્યવસ્થિત થાય ત્યારે જ સત્યને સ્થાન છે. પન્નવણામાં સ્ત્રી જાતિ જાણીને સ્ત્રી તરીકે વ્યવહાર કરવા જણાવ્યું. જાણ્યા વગર સામાન્યથી વ્યવહાર કરે તે મૃષાવાદી છે. પ્રથમ ભાષાની ઉત્પત્તિ. પ્રથમ ઉત્પત્તિ પછી વ્યવસ્થા. વિચિત્ર નિયમો વ્યાકરણમાં કર્યા તે પહેલાથી અનિયમિત ભાષા ચાલતી હતી તેથી. પ્રચલિત ભાષાની જે વ્યવસ્થા થયેલી હોય તે વ્યવસ્થા ખ્યાલમાં રાખીએ તો જ સત્યવ્રત, નહીંતર મૃષાવાદ. મૃષાવાદ એટલે શું? શંકા-મૃષાવાદ ચીજ શી ? તેમાં લોકવ્યવહારને સંબંધ શે? હિંસા સ્વાભાવિક પાપનું રથાન છે. હિંસાને અંગે બીજાના પ્રાણ કરતાં અમારા પ્રાણુને નુકશાન થાય તે વ્યાજબી છે. અમારા ભાવ-પ્રણો પ્રગટ થતાં વાર લાગે તે બનવું સ્વાભાવિક છે, પણ અહીં લેકે ગટર વ્યવહાર બાંધ્યો તે કબૂલ ન કર્યું તેમાં પાપ શી રીતે? હિંસાથી ભવિષ્યના પ્રાણો મળવાનો અંતરાય થવો તેથી તેને કારણ તરીકે પાપ થયું એમ માનવું તે યુક્તિયુક્ત ગણાય. તમારા હિસાબે પુણ્યપાપની વ્યવસ્થા કરનાર જગત થયું. સમાધાન-વાત ખરી, મહાનુભાવ! શબ્દો કરતાં લગીર આગળ વિચારવાની જરૂર છે. બીજાને જે જ્ઞાન કરાવે છે તેને આધાર શબ્દ. જે પ્રમાણે શબ્દ પ્રચલિત છે તે પ્રમાણે જ્ઞાન થવાનું છે, તેથી જ્ઞાનના પલટાને અંગે પાપની ઉત્પત્તિ. મૃષાવાદને અંગે જ્ઞાનનો વિપર્યાસ થાય તે પાપ. મૃષાવાદના અપવાદ છે. એ સમજાશે ત્યારે અપવાદેના દ્વારા બરાબર ખુલ્લાં થશે. એ એકાંતિક ચીજ નથી. “વિરુદ્ધ જ્ઞાન ઉત્પન્ન થતાં અનુકૂળ જ્ઞાનની ઉત્પત્તિ જબરજસ્ત હેય.” ખાઉ છું એ શીખવાડતાં ખાઉં એ ધાતુ કહીએ છીએ. પહેલાં ખોટા રસ્તામાં થઈને સાચે રસ્તે જાય છે. જે વસ્તુમાં વિરુદ્ધ પ્રતીતિ કરાવનાર ન હોય તો
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy