SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬] સ્થાનાંગસુત્ર [ વ્યાખ્યાન ફરક છે? પારકા આત્મામાં રહેલું જ્ઞાન રૂપ સૂર્ય એક જ હોય કે જગતભરનાં અંધારાને નાશ કરે, પણ સાવરણું જ્યાં ફરે ત્યાંથી કચરે જાય. ચારિત્ર જે આત્મામાં આવે તે આત્માના કર્મને ક્ષય કરે. આથી અનાદિને સંસાર રહ્યો તે માની શકીશું. આત્મામાં રહેલું ચારિત્ર કામ લાગતું હોત, તો આ જીવનું અનાદિ સુધી સંસારમાં રહેવાનું થાત નહિ. ક્ષકશ્રેણીના આત્મામાં બધાં કર્મો પેસી જાય તે તે એક આત્મા એક અંતર્મુહૂર્તમાં ચૌદે રાજકમાંના કર્મોને ક્ષય કરી શકે. એક આત્મામાં રહેલું ચારિત્ર બીજાનું કામ કરી દેતું હોત તે અનાદિ સંસાર રહેતા નહિ. જ્ઞાને શાસન સ્થપાયું. પારકું જ્ઞાન અસંખ્યાતને કામ લાગ્યું. જ્ઞાન પચાસ લાખ ક્રેડ સાગરોપમ સુધી કામ લાગ્યું. પણ ચારિત્ર બીજા આત્માને તે સમયે પણ કામ લાગતું નથી, તો પછી સમયાંતરે, ક્ષેત્રમંતરે કામ લાગે શાનું? અહીંનું ચારિત્ર અંશ થકી દેવલોકમાં ન હોય. અગિયારમા ગુણસ્થાન સુધીના ચારિત્રને અંશ ત્યાં ચાલતું નથી. સમ્યક્ત્વ દેવના ભવમાં તેવું ને તેવું ચાલે. ચારિત્રને ચોકો જુદો છે. એ તે પૂરછી ખાઓ ચોકે, ભૈયાને ચો. તેમાં ભાઈ ન ભળે. એ તે જે ચકામાં રહ્યા તે જ કામ લાગે. ચારિત્ર જે આત્મામાં હોય તે આત્માને જ કામ કરનારું થાય. જ્ઞાન એક આત્મામાં રહેલું અનંત આત્માને કામ લાગે. તેથી આચારાંગની સ્થાપના પ્રથમ કરવી પડી. જ્ઞાનને અંશ ભાડૂતી મળી શકે છે. ચારિત્ર સ્વયં આચરેલું કામ લાગે. એકલા એકથી કામ ન ચાલે આચારાંગનું નિરૂપણ કર્યા પછી વર્તનમાં વિચારને કારણે તે ન મેલાય. વિચારને કારણે મેલીએ તે શેઠે છ મહિના વિચાર કરીને ગાયના શીગડામાં મોડું ઘાલ્યું હતું તેના જેવું થાય. ચારિત્ર એવું તે નહિ કે જેમાં વિચારના વાંખા હોય. તેવું ચારિત્ર નહિ તે થી વિચારની વ્યવસ્થા કરવાની જરૂર. આચાર, વિચાર વ્યવસ્થિત થયા પછી ઈચત્તા હાથમાં ન આવે ત્યાં સુધી મુદ્દા વિના આચાર,
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy