SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ તથા દુષ્ક થયાં હોય, તેને લક્ષ્ય પૂર્વક સંભારી, સ્મૃતિમાં લાવી ગુરૂભગવાન પાસે તેની આલેયણા (પ્રાયશ્ચિત્ત) લઈ, ભૂતકાળના પાપની શુદ્ધિ કરી, ભવિષ્યમાં તે અઢારમાંનું કોઈ પણ પાપ ન કરવાની પ્રતિજ્ઞા દિવસના બબ્બે વખત વા પંદર દિવસે, ચાર કે બાર માસે કરનારને તેમજ હમેશાં પ્રતિક્રમણ કરનારને પ્રથમ તે પાપ શું ? શાથી પાપ ઉત્પન્ન થાય છે? તેની નિવૃત્તિ કેમ થાય ? તેનું પણ પ્રતિક્રમણ કરનારાઓમાં કેટલાકને તે ભાનજ નથી. કદાચ કોઈને પાપના નામની સંખ્યા આવડતી હશે, તે તેની નિવૃત્તિ કેમ થાય, અને ભવિષ્યમાં પાપ કેમ ન બંધાય ? તેનું ભાન નથી, અને ઘણું - ખરા તે અરિહંતાદિ અનંત જ્ઞાનીઓની સાખને અંતઃકરણમાં સ્થાપિત કરી બબ્બે વખત પ્રતિક્રમણ કરતાં કરતાં પાંચ પચીશ વરસ વ્યતીત થયા હશે, છતાં ઉલટા વિષય, કષાય, રાગ, દ્વેષ, કુડ, કપટ, અનીતિ, અનાચાર વિગેરે દે વધારે કરતા દેખાય છે. આવા જીવો પરમાત્માની સામે ભવિષ્યમાં પાપ ન કરવાની પ્રતિજ્ઞા લઈ, હમેશાં તે પ્રતિજ્ઞાન ભંગ કરી પાપની પ્રવૃત્તિમાં વર્તે છે. જેથી તેઓ પરમાત્માના દ્રોહી, મહાપાપી, દુર્લભબોધી અને અનંતસંસારી બને છે. એક વખત ભૂલ થાય તેની માફી તે મળે, પણ હમેશાં પ્રતિક્રમણ પણ કરે અને હમેશાં પાપને પણ સેવતો કે વધારતો જાય, તે તે પરમાત્માની આજ્ઞાને ઘાતક છે-એમ નિઃશંકતાથી શાસ્ત્રસિદ્ધ કરવા શક્તિમાન છું. જેમાં વાર્ષિક પર્યુષણમાં ભાદરવા સુદ જવા ૫ના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ લાખો જેને કરે છે. પાપ ન કરવાની પ્રતિજ્ઞા લે છે. તે પણ પરમાત્મા, ગુરૂ તથા આત્મા વિગેરેની સામે પ્રતિજ્ઞા લે છે. “ડે તોલે, કુડે માપે ન આપવું’ એવાં તો વાક્ય બોલે છે. ગ્રંથ વધી જવાના કારણથી વિસ્તાર કરવાની ઈચ્છા છતાં સંકેચતા કરવી પડે છે. પણ પ્રતિક્રમણના વંદિત્તાસૂત્ર કે જેમાં શ્રાવકના અપૂર્વ ગુણોનું અદ્દભૂત વર્ણન કર્યું છે, તેની પૂર્ણહુતિમાં લખે છે કે – “ મેમિ સદર સ વ મંસુ. * મિત્તિ સત્રમ્પણું વેર મર્મા = પુરૂ” - આ વિશ્વમાં પર્યટન કરતા સૂક્ષ્મ અને સ્કૂલ વિગેરે અનંત છેત્માઓ ! હું તમને વૈર-વિરોધને ત્યાગ કરી ખાવું છું, તમે પણ મને ક્ષમા આ શે. આજથી સર્વ જી પ્રત્યેના વૈરભાવને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લઈ આપ સર્વની સાથે મિત્રભાવથી વર્તીશ. અહા ! કેવી
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy