SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ એક શેક હતા, તેણે ‘વગર માગે—આજ્ઞા વિના કાઇની પણ ચીજ લેવી નહિં” એવુ· અસ્તેય (ચોરી ન કરવાનું) વ્રત લીધું. એક વખતે ગ્રીષ્મ ઋતુમાં શેઠ જે બગીચામાં જંગલ જતા હતા, ત્યાં આમ્ર વૃક્ષામાં સુગ ધથી મનને માહ પમાડનાર એવી પાકી કેરી જોઇને શેઠની વૃત્તિ ચલાયમાન થઇ ગઈ. કાઇને પૂછ્યા વિના ચીજ લેવાની શેઠને પ્રતિજ્ઞા હતી, પણ કેરીના સ્વાદના માહતી પ્રમલતાથી પ્રતિજ્ઞા શિથિલ થઇ. વ્રત ભ્રષ્ટ પણ ન થવું અને કેરીના સ્વાદથી પણ ભ્રષ્ટ નં થવું' એવા રસ્તા શોધવામાં લીન બનેલા શેઠે એક કપટ જનક યુકિત શેાધી - હાડી. સવારના પહેારમાં આમ્રવૃક્ષ પાસે આજુ બાજુ કાઇન હોય તેમ પોતાને ક્રાઇ ન દેખે તેવી બારીક તપાસ કરી આમ્ર વૃક્ષને ઉદ્દેશીને તેણે કહ્યું કે— “ અબસાર તું ક્ળ્યા અપાર, લહુ એ ચાર ? લેને શંખાર:” , આમ પેાતાનીજ મેળે પ્રશ્નનાત્તર ગોઠવી વૃક્ષની શાખાપરથી દશ ખાર પાકી કેરી ઉઠાવી ગયા અને આંબાની આજ્ઞા માગી કેરીઓ લીધી તેથી પોતાના અરતેય વ્રતને બાધા ન આવી, એમ તે માનતા હતા. બે ચાર દિવસ પછી પેલી ડાળપર કેરીએ ન જોવાથી તેના માલીકને શક પડતાં તે ખારીક રીતે તપાસ કરવા લાગ્યા. એવામાં એકાદ દિવસ શેઠને આવી પ્રપચયુક્તિથી કેરી ચારતાં જોઇને બાગના માલીકને બહુજ ગુસ્સા ચડ્યો. આ શેઠ હમેશાં કહે છે – • કાઇને પૂછ્યા વિના એક સળીમાત્ર પણ મારાથી લેવાય નહિ ' એમ વ્રતની પ્રતિજ્ઞા જણાવ્યાથી મેં તેને શાહુકાર જાણી વિશ્વાસથી બગીચામાં જંગલ જવાની છુટ આપી તેનું આ પરિણામ ? કેરીએ ચેાર્યો છતાં વ્રત સાચવવાના ડાળ ધાલનાર કુરાત્માના આવે પ્રપંચ ? આ પાખડ વ્રતધારીને મારે ખરાખર શિક્ષા આપવી જોઇએ. એમ વિચારી તે સુતારને ત્યાં ગયા. તેની પાસે ખેરના લાકડાના એ હાથના ધોકા કરાવી બગીચામાં શેઠના આવવાના વખતે તે નિબિડ ઝાડીમાં સંતાઇ ગયા. શેઠ પણ હુ ંમેશના રીવાજ મુજબ જંગલ પાણી જઇને આમ્રવૃક્ષ પાસે આવ્યા અને કહ્યું કે અખસાર! તું ક્ળ્યા અપાર લહું બે ચાર ? લેને દશ ખાર.' એમ કહી કરીએ તેાડી કપડામાં સંતાડીને જેવા બગીચાની બહાર નીકળવા જાય છે, ત્યાં તે। માગને માલીક ત્વરાથી દોડી આવી શેઠની ગળચી પકડી હાથમાં રહેલ ધાકાને ઉદ્દેશીને એક્લ્યા કેન્દ્ર ખેરસાર તને ધક્યો સુતાર દઉં એ ચાર ? તો કે દેને દશ ખાર. એમ કહેતાંની સાથે જ શેઠના વાંસામાં ટાફ્ટ તેણે દશ ખાર ધોકા લગાવી દીધા. યુવાન ભાગ માલિકના દશ ખાર ધોકા વાંસે લાગતાં શેર્ડ તો બિચારા ત્યાંજ "
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy