SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર બહુમાન થાય અથવા કઈક આ કહે છે તે અપૂર્વ છે એમ જણાયાથી તેને વિશેષ સમાગમ કરે અને તેમ કરવાથી અંતરમાં કાંઈક લાભ થતો દેખી તેની ઉપર શ્રદ્ધા થાય, તેવી શ્રદ્ધા થયા પછી સંપુરૂષ તેને માર્ગનું સ્વરૂપ બને તાવે, તેથી સદ્દગુરૂને સમાગમ કરી કલ્યાણ કરવાની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થાય અને સામાન્ય પણે સુગુરૂ, કુગુરૂને ભેદ-જણાય તેમ થવાથી અનંતકાલ થયા કગુરૂ તથા સ્વછંદથી જેમાં સ્વીકાર્ય નથી તેવાં ગ્રહણ કરાએલાં જે નિમિત્તે તેને પુરૂષ ત્યાગવાનું બતાવી જેમાં સ્વહિત થાય તેવા પ્રકારના સન્નિમિત્તે જણાવે; છતાં અસત્ય નિમિત્તેને ત્યાગ ન કરે તેનું નામ પ્રતિબંધ એટલે જેમાં સ્વહિત નથી તેવા નિમિત્તે, સ્વકલ્પનાથી યા કુગુરૂથી ગ્રહણ કરે તેનું નામ સ્વછંદ અને તેને ત્યાગવાને કેાઈ સંપુરૂષ બતાવે છતાં ન ત્યાગે તેનું નામ પ્રતિબંધ આ રીતે સ્વચ્છેદ તથા પ્રતિબંધને જે ત્યાગ તેનું નામ ત્યાગ. વળી કલ્યાણના નિમિત્તેને બાધા કર્તા જે ગ૭ મતાદિકના કહે તથા લૌકિક નિમિત્તાના જે કદાગ્રહો તેને ત્યાગ કરે તે ત્યાગ. કુળને આગ્રહ, શાસ્ત્રોના આશય સમજ્યા વિના સ્વચ્છેદ તથા કુગુફથી શાસ્ત્રોને બોધ શ્રવણ કરી તેનો આગ્રહ કરે તે શાસ્ત્રગ્રહ, જેમાં અભિગ્રહ અનભિગ્રહ, અભિનિવેશિક, સંશયિક અને અણાભોગિક–એ પાંચ મિથ્યાત્વ છે, તે પાંચ મિથ્યાત્વને સમાવેશ થાય છે એવા જે દુરાગ્રહ તથા જે નિમિત્તથી અંશ પણ કાર્ય થતું નથી, છતાં તેને જે આગ્રહ એ વિગેરે, આવા પ્રકારના દુરાગ્રહને ત્યાગ કરે તેનું નામ ત્યાગ કહેવાય. આ જે બતાવેલ ત્યાગ છે તે સમતિ દશા પહેલાને છે, હવે સમકિત દશા પછી ત્યાગ કે હેય તે બતાવે છે. સમકિત દશા બે પ્રકારે છે, એક ક્ષાયિક સમકિત અને બીજું પશમ. આ બે દશામાંની કેઈપણ દશા પુરૂષના વેગે પામી યથાર્થ રીતે સંપૂર્ણ સ્વરૂપ સમજ્યા પછી પૂર્વકૃત જે જે કર્મપ્રકૃતિ બંધાએલી છે તે તે કર્મ પ્રકૃતિને સમભાવ પૂર્વક વેદી તે વૃત્તિને ક્ષય કરે તેનું નામ ત્યાગ. કર્મપ્રકૃતિ બે ભેદે છે, એક પુન્ય કહેતાં સુખરૂપે અને બીજી પાપ કહેતાં દુઃખ રૂપે, આ સુખ કે દુઃખ રૂપે જે જે પ્રકૃતિ ઉદયમાં આવે તેને સમભાવ એટલે બંનેમાં એક સરખે દષ્ટાપણે રહી તે તે પ્રકૃતિના પરમાણુઓને ક્ષય કરે અને નવા કર્મ પરમાણુએને બંધ ન પાડે આ રીતે એક પછી એક એમ આઠે કર્મની જેટલી પ્રકતિઓ છે તેને ક્ષય કરે, જ્યારે આઠે કર્મની વૃત્તિઓ ક્ષય થાય છે ત્યારે તેને સિદ્ધ કહે છે. તે આઠમાંથી જ્યારે પ્રથમના ચાર ઘાતકર્મની સર્વ વૃત્તિઓને નાશ કરે ત્યારે તેને કેવલી કહે છે, તે ચાર કર્મમાંથી મુખ્ય રહેલું જે મેહની
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy