________________
૩૦૨
[ શ્રી વીર-વચનામૃત
છે. ત્યારપછી જન્મના અભાવ હાવાથી ફરી મરવાને પ્રસંગ આવતા નથી. તાત્પર્ય કે જેને મૃત્યુ બિહામણુ લાગતું હોય અને ફરી મરવા ઇચ્છતા ન હાય, તેÈ પેાતાના જીવનમાં જ્ઞાન અને ક્રિયાની પરમ ઉપાસના કરવી જોઈએ. મરણુમાંથી ખચવાના એ જ એક સુવિહિત ઉપાય છે.
तओ से मरणन्तम्मि, बाले संतरसई भया । अकाममरणं मरई, धुत्व कलिणा जिए ॥ १२ ॥ [ ઉત્ત॰ અ॰ ૫, ગા॰ ૧૬ ] અજ્ઞાની જીવ મૃત્યુ સમયે નરકના ભયથી કંપે છે અને એક જ દાવમાં હારી ગયેલા જુગારીની જેમ અકામમરણથી મરણ પામે છે.
न संतसंति मरणंते, सीलवन्ता बहुस्सुया ॥ १३ ॥ [ ઉત્ત॰ અ॰ ૫, ગા૦ ૨૯ ] શીલસ'પન્ન બહુશ્રુત પુરુષા મરણના સમયે સંતસ
થતા નથી.
न इमं सव्वेसु भिक्खूसु, न इमं सव्वेसु गारिसु । नाणासीला अगारत्था, विसमसीला य भिक्खुणो ॥ १४ ॥ [ ઉત્ત॰ અ॰ ૫, ગા૦ ૧૯ ]
આ પતિમરણ ન તે બધા ભિક્ષુઓને પ્રાપ્ત થાય છે, ન તા બધા ગૃહસ્થાને; કારણ કે બધા ભિક્ષુએ કે બધા ગૃહસ્થા સમાન ચારિત્રવાળા હાતા નથી. તેમની ચારિત્રવિષયક ભૂમિકા ભિન્ન ભિન્ન પ્રકારની હાય છે.