________________
૧૧ ૧
ધમચરણ ] સર્વશ્રેષ્ઠ સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. अहिंस सच्चं च अतेणगं च,
तत्तो म बम्भं अपरिग्गहं च । पडिवज्जिया पंच महव्वयाणि, चरिज धम्मं जिणदेसियं विदू ॥ ७ ॥
ઉત્તઅ૨૧, ગા. ૧૨ ] બુદ્ધિમાન મનુષ્ય અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતને સ્વીકાર કરીને શ્રી જિન ભગવાને ઉપદેશેલા ધર્મનું આચરણ કરવું.
વિજે આ પાંચ મહાવ્રતનો સ્વીકાર કરી શકે નહિ, તેને માટે પાંચ અણુવ્ર, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતે એમ બાર પ્રકારના વતની યોજના છે. કદાચ એ પણ ન બની શકે તે આમાંથી જેટલું શક્ય હેય તેટલું આચરવાનું છે અને દિવસે દિવસે તેમાં વધારે પ્રગતિ કેમ થાય? એ લક્ષ્ય રાખવાનું છે. बहिया उड्ढमादाय, नावकंक्खे कयाइ वि । पुव्वकम्मक्खयट्ठाए, इमं देहं समुद्धरे ॥ ८ ॥
[ ઉત્ત. અ ૬, ગા. ૧૪ ] સંસારથી બહાર અને સર્વથી ઉંચે–ઉપર સિદ્ધશિલા નામનું જે સ્થાન છે, ત્યાં પહોંચવાનો ઉદ્દેશ રાખીને વર્તવું. કદાપિ વિષયભેગની આકાંક્ષા કરવી નહિ. પૂર્વે જે કર્મોનો સંચય કર્યો છે, તેનો ક્ષય કરવા માટે જ આ કાયાને ધારણ કરવી.