________________
૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
વિક્રમની પ’દરમી સદી વીતી ગઈ અને સાળમીને પ્રારભ થતાં હિંદુનાં પાટનગર દિલ્હીનાં સિંહાસને સમ્રાટ અકબર બિરાજ્યા અને તેના સમયમાં મેગલ સત્તાના સૂ પૂર્ણ તેજથી પ્રકાશ્યા. તે સમ્રાટ અકબરને બધા ધર્માંની માહિતી મેળવી તે સÖમાંથી ઉપયુક્ત વસ્તુઓનું એકીકરણ કરી એક સમાન્ય ધર્મ કાઢવાની ઉત્કંઠા થઈ, તે ઉત્કંઠા તૃપ્ત કરવા માટે સર્વ પૈકી એક એવા જૈન ધર્મના તે વખતે વિદ્યમાન આચાર્ય શ્રીહીરવિજયસૂરિને પોતાની પાસે બેલાવી તેમની સાથે મ`ત્રણા કરી. શ્રીહીરવિજયસૂરિજી એ શ્વેતાંબર જૈનના તપાગચ્છના આચાર્ય હતા, અને તેમણે જૈનધર્મના મહાત્મ્યની પ્રથમ ઝાંખી સમ્રાટ અકખરને કરાવી, આ આચાર્યનું જીવન ગુજરાતીમાં આલેખવાનેા સખળ અને સફળ પ્રયત્ન મુનિ શ્રીવિદ્યાવિજયજીએ ‘સૂરીશ્વર અને સમ્રાટ' એ નામના પુસ્તક રૂપે કરેલા તે સ. ૧૯૭૬ માં પ્રકટ થયા, (કે જેને હિંદી અનુવાદ પણ ત્યાર પછી તેમડ઼ે બહાર પાડયા) જ્યારે પંદર વર્ષ સ. ૧૯૯૧ માં તે જ સમ્રાટ અકબરને થએલા પરિચયની યાત જાળવી રાખવામાં સહાયક ખરતરગચ્છના આચાર્ય શ્રીજિનચન્દ્રસૂરિનુ જીવન હિંદી ભાષામાં લખી પ્રકટ કરવાને સફળ પ્રયાસ બિકાનેરના પ્રસિદ્ધ નાહટા કુટુમ્બના વંશો શ્રીયુત અગરચન્હ અને ભવરલાલ નાહટા તરફથી થયા છે તે જોઈ ખરેખર આનંદ થાય તેમ છે. શ્રીહીરવિજયસૂરિની પ્રતિષ્ઠા અને ગૌરવ જેટલાં તપાગચ્છમાં છે તેટલાં પ્રતિષ્ઠા અને ગૌરવ સૂરિનાં ખરતરગચ્છમાં ાય તે સ્વાભાવિક છે. ખરતરગચ્છ એ તપાગચ્છથી પ્રાચીન છે.
શ્રીજિનચન્દ્ર
તપાચ્છની