________________
ભક્ત શ્રા ક મણ
૨૪૩
બરાબર તપાસતાં એના પર પડેલ અશ્રુબિંદુના ડાઘ જોઈ તેઓ રહસ્યને સમજી ગયા, ને પિતાના કોઈ અજ્ઞાત સ્વધર્મી ભાઈની વિપત્તિને અન્નુભવ કરી પોતાના ઘર ખાતામાં ખર્ચ લખાવી હુંડી
સ્વીકારી લીધી, કેટલાંક દિવસે પછી એ અજ્ઞાત સ્વધર્મીભાઈ ત્યાં આવ્યા અને આગ્રહપૂર્વક હુડીના રૂપિયા જમા કરવાની પ્રાર્થના કરી. પરંતુ સમજીએ તો “તમારા નામે અમારું એક પૈસાનુંય લેણું નથી” એમ કહી ના સ્વીકારવાની ચાખી ને પાડી દીધી. છેવટે સંઘની સંમતિથી શ્રી શાંતિનાથ પ્રભુના જિનાલયનિર્માણમાં તે સમસ્ત રૂપિયા ખર્ચી નાંખ્યા. આ વૃત્તાન્તથી
મનું ઉદાર હદય, અને અભૂતપૂર્વ આદર્શ સ્વધર્મી વાત્સલ્ય જાણવા મળે છે. આવા નરરત્નનાં જેટલાં ગુણગાન થાય એટલાં ઓછાં છે. ' સૂરિજીના ઉપદેશથી એમણે ઘણાં નવા ગ્રંથો લખાવી, જ્ઞાનભકિતને બહુ મોટો લાભ લીઘો હતો. એ ગ્રંથમાંના એકનો ઉલ્લેખ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ”માં આ પ્રમાણે છે:–સં. ૧૬પર માં ખરત૨ જિનચન્દ્રસૂરિના ઉપદેશથી અમદાવાદના પ્રાગ્વાટ સંઘપતિ સેનજીએ જ્ઞાનભંડાર માટે
* હુંડી સ્વીકારવાનું વિસ્તૃત વર્ણન “સવાસોમા” નામક ટૂંકટમાં છે, જેના લેખક છે, શ્રીમાન ગોકળદાસ દ્વારકાદાસ રાયચુરા ( તંત્રી, શારદા' એમણે આ ટ્રેકટમાં સોમા પર હુંડી કરવાવાળી વ્યક્તિ “સવાને વામનસ્થલી નિવાસી શેઠ લખેલ છે, અને શિવા–સોમાજીની ટૂંક પણ બન્ને ભિન્ન ભિન્ન વ્યક્તિઓના નામથી પ્રસિદ્ધ થયાને ઉલ્લેખ કર્યો છે,
પરંતુ એમાં એમણે ગંભીર ભૂલ કરી છે. શિલાલેખોથી એ હકીકત - સ્પષ્ટ થાય છે કે શિવા–સોમજી બન્ને સગા ભાઈઓ હતા, અને એ જ બને ભાઈઓએ આ કૃત્ય કરેલ છે.