________________
૨૩૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસરિ
पालथी पीतलमय प्रतिमा घणी छोडावी. बलि जिण नगरी मुहतर गयो तिण नगरी रुपइया बिनी लाहण कीधी ||
આ પ્રમાણે અનેકાનેક લેાકેાપકાર અને ધર્મપ્રભાવના દ્વારા પોતાની પ્રશસ્ત કીર્તિને દિગન્તવ્યાપી અને અમર બનાવી, મત્રીશ્વર સં. ૧૬૫૬ માં અમદાવાદ ખાતે સ્વગે સીધાવ્યા. જેના ઉલ્લેખ આ ગ્રંથના દશમા પ્રકરણમાં અમેએ કર્યાં છે.
આધુનિક લગભગ બધાજ ઇતિહાસકારો અને લેખક મત્રીશ્વર કર્મ ચન્દ્રનું મૃત્યુ સમ્રાટ અકબરના દેહાંત પછી કેટલાક સમયે (સં. ૧૯૬૨-૬૪) દિલ્હીમાં થયાનુ લખે છે અને તેઓ એમ પણ લખે છે. કે એ સમયે મહારાજા રાયસિંહજી પણ માદશાહ જહાંગીરને મળવા ત્યાં ગયા હતા. તેમણે મંત્રીશ્વરની અન્ય અવસ્થામાં એમની હવેલીએ જઈ શેાક પ્રકટ કરેલ, મહારાજાના નેત્રામાંથી નીર વહેવા લાગ્યા, જયારે તેઓ ચાલ્યા ગયા ત્યારે ક ચન્દ્રના પુત્રાએ મહારાજાના પ્રેમની બહુ પ્રશ'સા કરી, પરંતુ મંત્રીશ્વરે કહ્યું, “પુત્ર! તમેા ભૂલ કર્યા છે. આ આંસૂ પ્રેમના નહાતા. એ તા એ વાતના હતા કે હું સુખ અને સુયશથી સ્વગે જઈ રહ્યો છું, અને રાજાજી જીવતાંય મારા બદલા ન લઈ શકયા. એટલે તમે એમનાં આંસુઓ જોઈ
× કાઈ ખાસ નિમિત્તને જાણ્યા વગર માત્ર વિહારપત્ર નિર્દિષ્ટ અત્ર’ શબ્દથીજ મ ંત્રીશ્વરનું સ્વર્ગસ્થળ અમદાવાદ છે. એમ સ્વીકારવાને હૃદય તૈયાર નથી થતું. કારણકે (‘અત્ર) શબ્દના અર્થોં માત્ર અહિઁ' એજ નથી થતું, કિંતુ ‘ આ સમયે ’ એમ પણ થાય છે, માટે વિહાર પત્ર નિર્દિષ્ટ ‘ અત્ર ' શબ્દના અર્થ ઃ આ સમયે ’ એમ લેવાજ વધારે અંધ એસતા છે. ( ગુ. સ. ના સંપાદક )
"