________________
યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ આર્યસંસ્કૃતિના વિનાશક મુસલમાન બાદશાહ પર એમને પ્રભાવ પણ ઉલ્લેખનીય છે, કેમકે ભિન્ન જાતિ, ભિન્ન પ્રકૃતિ અને ભિન્ન વિચારવાળા મુસલમાન બાદશાહ પર પ્રભાવ જમાવ એ દેશી નરેશ કરતાં અતિકઠણ કાર્ય હતું. એ લેકે જરા જરામાં ગમે તે પર ગુસ્સે થઈ જતા, અને ફાવે તેમ દંડી નાંખતા. આવા મુસલમાન સમ્રાટ પર સર્વપ્રથમ પ્રભાવ જમાવવાનું શ્રેય પણ ખરતરગચ્છના આચાર્યોને જ ફાળે જાય છે.
દાદાશ્રીજિનકુશળ સૂરિજી મહારાજના ગુરૂ કલિકાલકેવલી શ્રીજિનચન્દ્રસૂરિ(સં. ૧૩૪–૭૬)એ પોતાની સર્વતોમુખી પ્રતિભા વડે તત્કાલીન યવન સમ્રાટ સુલતાન કુતુબુદ્દીનને ચમત્કૃત કરેલ છે, એ પછી આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજીએ સં ૧૩૮૫ ના પિષ સુદિ ૨ (૮)ને શનિવારે સાયંકાળે મહમદ તુઘલખ બાદશાહની મુલાકાત દરમ્યાન તેના પર જબરદસ્ત પ્રભાવ પાડ કે જે સૂરિજીને પરમ ભક્ત બની ગયે, તે એટલે સુધી કે પ્રવાસ દરમ્યાન પણ એમને પિતાની સાથેજ રાખવામાં આવેલ (અને તપાગચ્છીય પંડિત મધર્મ ગણિકૃત ઉપદેશસપ્તતિકાગ્રંથના કથનાનુસાર સૂરિજીના ઉપદેશથી આ સુલતાને સંઘ સાથે શ્રીસિદ્ધાચળજી અને ગિરનારજીની યાત્રાઓ કરી અને સંઘપતિના તમામ કાર્યો કર્યા હતાં. 1 कुतुबुदीन सुरताण राउ, रंळिउ स मणोहरू । जगि पयडउ जिणचंदसूरि, सूरिहि सिर सेहरू ।
(જિનકુશલસૂરિ રાસ, ઐ-જો-કા. સં. પૃ. ૧૬) सूरिणामुपदेशेन, सैन्यसंघसमन्वितः। ततो गतः सुरत्राणः, श्रीशत्रुजयपर्व ते ॥३८॥ तत्र संघपकृत्यानि, भूपाय कृतपूर्विणे । दुग्धेनावर्षयतमूरि-स्तरु राजादनीं तदा ।३९।।