________________
યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ
સમય રાજપાધ્યાયની “પયૂષણ વ્યા, પદ્ધતિ” પત્ર ૧૨, (૨) જિનરત્નસૂરિ છNઈ (૩) દુર્જનદમન ચોપાઈ. (સં. ૧૭૦૫ પ્ર, આ. વ. ૧૪ બુધ જિનરત્ન સૂરિ રાજ્ય), લખેલ અમારા સંગ્રહમાં છે. આજ જ્ઞાનહર્ષજીનું પાર્શ્વસ્ત. ગા. ૧૩ ઉપલબ્ધ છે. ઉપરાંત (૨) વાચારિત્ર વિજય (૩)મહિમાકુશળ (૪) રત્નવિમલ (૫) મહિમા વિમલ આદિ મહા સુમતિશેખરજીના શિષ્યો હતા. તેમણે સં. ૧૭૩૩ને ચાતુર્માસ સકુકી ગામમાં કર્યો, એ સમયે માહિમાકુશલે (ભા. સુ. ૯) લખેલ “નાહર જટમલકૃત બાવની” પત્ર ૭ શ્રીપૂજ્યજીના સંગ્રહમાં છે.
(૧૮) દયાશેખર -એમણે લખેલ નવકાર બાલા પત્ર-૪ શ્રીપૂજ્યજીના સંગ્રહમાં છે. ' (૧૯) ભુવનમે એમના શિષ્ય પુણ્યરત્ન શિષ્ય દયાકુશલ શિ. ધર્મમંદિર એક સારા કવિ હતા. એમની કૃતિઓમાં (૧) મુનિપતિચરિત્ર (સં. ૧૭૨૫ પાટણ), (૨) દયાદીપિકા ચૌ (સં. ૧૭૪૦ મુલતાન), (૪) પરમાત્મ પ્રકાશ ચૌ. (સં. ૧૭૪ર કા. સુ. ૪ મુલતાન), (૫) આ મદપ્રકાશ, (૬) નવકાર રાસ (બૃહત્ સ્તવનાવલીમાં છાપેલ) ચૌમાસી વ્યાખ્યાન (જૈન ગ્રંથાવલી પૃ. ૩૪૩), શંખેશ્વરસ્ત. (સં. ૧૭૨૩), સંખેશ્વર ગીત. સુમતિ નાગીલ ચેપાઈ આદિ કેટલીએ કૃતિઓ ઉપલબ્ધ છે.
(૨૦) લાલકલા -એમના શિષ્ય જ્ઞાનસાગર શિ. કમલહ સં. ૧૬૯૪ ચૈત્ર સુ. ૭ રાજનગરમાં લખેલ “પુંજરાજી ટીકા” (સારસ્વત વ્યાકરણની) પત્ર ૧૧૧ શ્રીપૂજ્યજીના સંગ્રહમાં છે.
આ ઉપરાંત સૂરિજીના શિષ્યમાં રાજહર્ષ, નિલયસુન્દર કલ્યાણદેવ, હીરોદય, વારી વિજયરાજ, હીરકલશ, જ્ઞાનવિમલ, (ક્ષમાલ્યાણજીકૃત પટ્ટાવલિમાં ઉલ્લેખ), નાં નામ પણ મળે છે.