________________
સ્વર્ગગમન
૧૫૫
પાટણ આદિ નગરોમાં “ગુરૂ દુર” કે “દાદા બીજ”ના નામે દાદા સાહેબના સ્થાને પર “મેળો” થાય છે.
જે કે સૂરિજીનો નશ્વર અને પૌગલિક દેહ આજે આપણી સામે પ્રત્યક્ષ નથી, છતાં એમને મૂતમાન અમર આત્મા અને એમનો અનુકરણીય ગુણ સમુચ્ચય આજે પણ આપણને આદર્શપથ દાખવવા પરમ સાધનભૂત થઈ રહેલ છે. એમનાં પુનીત કૃત્ય અને એમની ગૌરવગાથા વિશ્વમાં દેદિપ્યમાન દીપશિખાની માફક સદા ઝળહત્યા કરશે. કવિવર સમયસુંદરજી શું સર્વોત્તમ માર્મિક શબ્દમાં કહે છે –
मुयई कहई ते मूढ नर, जीवई जिनचन्दसूर । जग जंपई जस जेहनो, पुहवी कीरति पडूर ॥८॥ चतुर्विध संघ चीतारस्यई, जां जिवस्यई तां सीम। वीसार्या किम वीसरई, हो निर्मल तप जप नीम ॥९॥