________________
પ્રકરણ ૧૨ મું
સ્વર્ગગમન
IJuly
B આ હૈ ગરામાં ચોમાસા દરમ્યાન અદ્વિતીય શાસન
Ben upă પ્રભાવના કરી, ચોમાસું ઉતર્યો વિહાર કરતા કરતા સૂરિ મહારાજ મેડતા પધાર્યા. ત્યાં ચોપડા ગેત્રના શેઠ આસકરણ આદિ અનેક ધનવાન અને રાજ્યમાન્ય શ્રાવક સૂરિજીના પરમ ભક્ત હતા. સૂરિજીની પધરામણીથી સંઘમાં અધિક ધક ધર્મધ્યાન થવા લાગ્યા.
સુરિજી મેડતા નગર પધારવાના ખબર આપવાથી બિલાડા શહેરને સંઘ ખૂબ આનંદ પામ્યો. એમણે એકત્ર થઈ સૂરિજીને બિલાડામાં ચાતુર્માસ કરાવવાનો નિર્ણય કર્યો, અને તત્કાળ સંઘની પ્રતિષ્ઠિત વ્યકિતએ, જેમાં કટારિયા ગોત્રના (સંભવતઃ શાહ જૂઠા આદિ) શ્રાવક આગેવાન હતા. એ બધાં મળીને મેડતા આવ્યા. અને સૂરિમહારાજને વંદના કરી તેઓએ વિનયપૂર્વક ચાતુર્માસ નિમિત્તે બિલાડે પધારવાની નમ્ર વિજ્ઞપ્તિ કરી, સંઘને ખૂબ આગ્રહ જોઈ સૂરિમહારાજ