________________
૧૪૪
યુગપ્રધાન શ્રીીજનચંદ્રાર
(૯) શરીરને કોઇજ પ્રકારના શ્રુંગારથી શૈાભાવવું નહીં, જેથી માદશા ઉત્પન્ન ન થાય.
હવે તમેજ વિચારી જુએ કે આ પ્રતિજ્ઞાઓને પળવાવાળા કોઇ પણ પ્રકારે આચારચ્યુત થઇ શકે ખરો ? નજ થઈ શકે. અને જે ભ્રષ્ટ થએલ છે. તે આ નિયમનુ યથાવત્ પાલન નહીં કરવાનેજ કારણે. જૈન શાસન એને કેઇ પ્રકારેય ચલાવી નથી લેતે, કે નથી એના પ્રત્યે સહાનુભૂતિ દાખવતા. એટલે કોઈ એકના કારણે સમસ્ત સાધુ સંઘ પર અશ્રધ્ધા લાવી અમને દુ:ખ પહોંચાડવુ એ તમારા જેવા વિચારશીલ, ન્યાયવાન અને પ્રજાહિતેચ્છુ સમ્રાટને માટે ઉચિત નથી લેખાતું, આ રીતે મધુર વચના વડે યુક્તિથી સૂરિજીએ સમ્રાટની વાતનું નિરાકરણ કર્યું. એટલે સમ્રાટે પોતાની ભૂલ સમજાઈ જવાથી તેજ વખતે સ્પષ્ટ કહી દીધું કે
‘એ વાત બરાબર છે. હવે મારા રાજ્યમાં જયાં ઈચ્છા હોય ત્યાં કેઈ પણ જાતની રોક-ટોક વિના તમામ સાધુએ ખુશીથી વિચરી શકે છે, કાઇને કેઇ પ્રકારનું વિઘ્ર નહી થાય ” સૂરિજીએ કહ્યું “ તા હવે ગિરફ્તાર કરેલા સાધુઓને તરતજ છોડી દે અને ભવિષ્યને માટે ‘સાધુ વિહાર પર કોઈ જાતના પ્રતિબંધ નથી' એવા શાહી ફરમાન જાહેર કરી દા ”
સમ્રાટ ગુરુદેવ ! આપ હવે નિશ્ચિંત રહે, હવે એમજ થશે”
આમ વાત પાકી થયા પછી સૂરિજી ઉપાશ્રયે પધાર્યા. સાટે નવુ ફરમાન જાહેર કરી દીધુ. શ્રીસ‘ઘના હર્ષના પાર ન રહ્યો. સૂરિજીએ સંઘના આગ્રહથી સ’. ૧૬૬૯ના ચાતુર્માસ ત્યાં કર્યાં ઉપરોકત ઘટનાનું વર્ણન કવિવર સમય સુંદરજીએ આ પ્રમાણે કરેલ છે.
सुगुरु जिणचन्द्र सौभाग्य सखरौ लियौ.
चिहुं दिशै चन्द्र नामौ सवायौ ।