________________
પંચનદી સાધના અને પ્રતિષ્ઠા
૧૩૫ લઈ આવે, એ સામે કઈ વાંધો ન ઉઠાવે, એ માટે પરવાને લખી આપે, જેની નકલ આ પુસ્તકનાં પરિશિષ્ટ (ગ) માં છાપેલ છે. આ મહારાજા સૂરસિંહજી ૯ સૂરિજીના પ્રસિદ્ધ ભક્ત હતા, એમના નામનો ઉલ્લેખ સમયસુંદરજી પિતાના આલિજા ગીત કે જે અપૂર્ણ મળેલ છે, તેમાં આ પ્રમાણે કરે છે –
शाही सलेम सहु उमरा, भीम सूर भूपाल । चीतारइ तूनइ चाहमुं. पूज्यजी पधारो कृपाल ॥५॥
લવેરાથી વિહાર કરી સૂરિજી મેડતા પધાર્યા, જ્યાં એમણે સં. ૧૬૬પને ચાતુર્માસ કર્યો. ચાતુર્માસ પછી અમદાવાદના ખાસ આમંત્રણથી સૂરિજી રાજનગર પધાર્યા. ત્યાંથી વિહાર કરતા કરતા ખંભાત પધાર્યા, ને સં. ૧૬૬૬ ચાતુર્માસ ખંભાતમાં કર્યો. એ પછી સં. ૧૬૬૭ને ચાતુર્માસ અમદાવાદમાં કરી પાટણ પધાર્યા અને સં ૧૬૬૮નું ચોમાસું પાટણ ખાતે કર્યું. આ વર્ષો દરમ્યાન બીજાંય ઘણાં જૈન મંદિરની પ્રતિષ્ઠાઓ સૂરિજીના વરદ હસ્તે થઈ. * - એ તેઓ સં. ૧૬પર ના શ્રાવણ માસમાં લાહોર ખાતે એમના પિતા ઉદયસિંહના ઉત્તરાધિકારી બન્યા મહા સુદિ ૫ ના જોધપૂરમાં એમને રાજ્યાભિષેક થયો. એમને સમ્રાટે બેહારીજાતી અને સવાસાત હજારને ‘મનસીબ દીધેલ. તેઓ ખરા વીર, દાની અને નીતિચતુર વિદ્વાન હતા. કહેવત છે કે–એક દિવસમાં એમણે ચાર કવિઓને એક લાખનું દાન કરેલું. સં. ૧૬૭૦ માં એમનો સ્વર્ગવાસ થયો.
x એક પટ્ટાવલીમાં સં. ૧૬૬૮ ના મહાશુદિમાં તીર્થાધિરાજ શ્રી શત્રુ ય પરના નવા જિનપ્રાસાદમાં સૂરિજીના હરતકમલ વડે અહંત બિંબની પ્રતિષ્ઠા થયાને ઉલ્લેખ આ પ્રમાણે મળે છે -
" संवत १६६८ वर्षे माघसुदिमांहे श्नीशत्रुजय उपरि नवीन प्रासाद,