________________
યુગપ્રધાન પદ પ્રાપ્તિ
૮૭
૧૦૫૦ ધાતુની જૈન પ્રતિમા ત્યાંથી લૂટી ફતેહપુર સિકરીમાં સમ્રાટ પાસે લાવ્યેા. આ પ્રતિમાઓને ગાળી સાનું કાઢવાના એના ઈરાદા હતા, પરન્તુ નીતિ પરાયણ સમ્રાટ અકબરે એમ ન થવા દેતાં પ્રતિમાઓને સુરક્ષિત રાખી. એ પછી સં. ૧૬૩૯ માં અષાઢ શુદિ ૧૧ને દિન બીકાનેરના મત્રીશ્વર કર્મચન્દ્રે સમ્રાટને પ્રસન્ન કરી પ્રતિમાઓને બિકાનેરમાં બિરાજમાન કરી, જે આજ સુધી ત્યાંના શ્રીચિંતામણિજીના મદિરમાં વિદ્યમાન છે, આ બાબતમાં વધુ આગળના પ્રકરણમાં લખવામાં આવશે.
જ્યારે આપણા ચરિત્ર નાયક શ્રીજિનચંદ્રસૂરિજી લાહેારમાં બિરાજતા હતા, ત્યારે પણ આવી એક દુઃખદ ઘટનાના સમાચાર મત્રીશ્વર ક ચન્દ્રને મળ્યા કે નૌર'ગખાન નામના કોઈ મુસલમાન અધિકારીએ દ્વારિકાના જૈનમંદિરના નાશ કર્યાં છે. આ સમાચાર મળતાં મંત્રીશ્વરે સૂરિમહારાજને નિવેદન કર્યું. કે જો સમ્રાટને ઉપદેશ આપી તી રક્ષાને માટે કાંઈ ઉપાય નહીં લેવામાં આવે તેા દ્વારિકાની માફક અન્ય તીર્થોના પણ નાશ કરવામાં ચલન લે!કે! પાછું વાળીને નહીં જૂએ.”
સૂરિમહારાજને આ કાર્યની આવશ્યક્તા જણાઈ, ને તેથી સમ્રાટને શત્રુજય પ્રકૃતિ તીર્થાંનું મહાત્મ્ય સમજાવ્યું, અને સાથેાસાથ એમની રક્ષાના ઉચિત પ્રબંધ કરવાની સૂચના પણ કરી, સૂરિજીની આ પવિત્ર આજ્ઞાએ સમ્રાટે શિશધાય કરી અને પ્રસન્નતાપૂર્વક તમામ જૈનતીર્થાંની રક્ષા માટેનું એક ફરમાનપત્ર લખાવી એના પર પેાતાની મુદ્રિકા–મહેાર લગાવી મત્રીશ્વરને સોંપી દીધું. એમાં લખ્યું હતું કે આજથી તમામ