SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ તપુણ્ય શેઠ કુલીનતા અને હલકાઈના માપ નિર્ધન દશા પ્રાપ્ત થતાં જ જલદીથી કાઢી શકાય છે. એ સમયે ઉભય જાતિના વચન અને વર્તન ઉપરથી જ કુલીન–અકુલીન સહજ પરખાઈ જાય છે. “હવે તું શા સારું અહીં પડી રહ્યો છે? વારંવાર કહ્યા છતાં તને ચાલી જવાનું નથી સૂઝતું, તો આજે હું ધકકા મરાવી તને બહાર કઢાવીશ ત્યારે જ તને ભાન આવશે. આ તો વેશ્યાનું ગૃહ. એમાં ધન વગર ઘડીવાર પણ ચાલે નહીં. તારા જેવા ભૂખડી બારસની પ્રીતિને વળગી રહીએ તો અમારો ધંધો નાશ પામી જાય અને અમે ત્રીજે દિવસે ભીખ માગતા થઈ જઈએ. જ્યાં લગી તારે ઘરેથી પૈસા આવતા હતા ત્યાં લગી એક શબ્દ પણ મારે કહેવો પડ્યો હતો ? આ તો દાસી માત્ર કંકણની જેડ ઉચકી લાવી અને નિર્ધન દશાનું વર્ણન કર્યું એ સાંભળતાં હરકોઈ સમજી શકે કે હવે તારી પાસે ફૂટી બદામ પણ નથી રહી. અમારે તો રોજ ધન સાથે જ કામ રહ્યું, માટે અહીંથી સીધો સીધો નીકળી જઈ ધન પેદા કરીને પુનઃ આવજે.” કુટ્ટિનીની આ અંતર વીંધી નાખે તેવી વાગ્ધારા સાંભળી કૃતપુણ્ય સડક બની ગયા. ઘડીભર જડ પુતળા માફક સ્તબ્ધ થઈ રહ્યો. માંડ માંડ એટલું ઉચ્ચારી શક્યોઃ “મને એક વાર અનંગસેના સાથે વાત કરી લેવા દ્યો. જેને ત્યાંથી આજ બાર બાર વર્ષોથી ધનની નીક વહી રહી હતી તે મનુષ્યની બે આંખની તો શરમ રાખે.” ચાલ, ચાલ, પામર ! તારી જબાન બંધ કર. ધન આપ્યું તેમાં શી નવાઈ કરી ? વનરસનો લહાવો કંઈ રસ્તામાં નથી
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy