SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪ર૦ ] પ્રભાવિક પુરુષ : જ્ઞાની પુરુષાએ સાચું જ કહ્યું છે કે વિવા પતિ નો પૂ:, काको नक्तं न पश्यति । अपूर्वः कोऽपि कामांधो, दिवानक्तम् न પતિ । અર્થાત્ ઘૂવડ દિવસે દેખી શકતું નથી, કાગડા રાત્રે જોઇ શકતા નથી, પણ જેનાં નેત્રા કામથી અંધ થયેલાં છે એવા મનુષ્ય તે રાત્રે કે દિવસે પણ જોઇ શકતા નથી. કન્ય યા તા અકત્તવ્યનું ભાન એને રહેતું જ નથી. અજાતશત્રુ રાજાએ સંગ્રામ સંબંધી પરિસ્થિતિને ટૂંકમાં ખ્યાલ આપી, જ્યાતિષીના સ્તૂપ સંબંધી વિચારા જણાવી, કાઇપણ રીતે વિશાલાની પ્રજાનુ માનસ ફેરવવાની યુક્તિ ચેાજવા જણાવ્યું. માગધિકાના મેહથી અંધ અનેલ કુલવાલક ગુરુજીના છેલ્લા શબ્દોને સાચા પાડતા, જતિના વેશમાં રાયખટપટને એક અણુછાજતા વેશ ભજવવા નીકળી પડયો. માર ખાર વર્ષના અંધિયાર જીવનથી જેમને કંઠે પ્રાણ આવ્યા છે અને આ ભય કર ત્રાસથી છૂટવા જે તલસી રહ્યાં છે એવા વિશાલા નગરીના પ્રજાજન આ ક્ષપણુકને જોતાં જ હ મગ્ન થઇ ગયાં. એના ચરણમાં પડી પૂછવા લાગ્યાં કે મહારાજ ! આ ઘેરા કયારે ઊઠશે ? વિશાલાના દ્વાર કયારે ખુલશે ? ” કુલવાલકે પ્રથમ તેા જનતાની વાત સાંભળી ન સાંભળી કરીને સીધે। શ્રીમુનિસુવ્રતસ્વામીના સ્તૂપને માર્ગ લીધેા. ભક્તિના આડંબર કરી વંદન કર્યું તેમ પ્રદક્ષિણા પણ દીધી. આથી તેા યતિમાં પ્રજાજનના વધુ વિશ્વાસ બેઠા. એમનાં ચરણ પ્રકડી આ સંકટમાંથી ઉગરવાના ઉપાય દર્શાવવા પ્રાર્થના કરી. દર કુલવાલક મુનિએ ભૃકુટી ચઢાવી, જાણે કોઇ ઊંડા વિચારમાં ગરકાવ ન થયા ાય એવા ડાળ કરી, ધીમા સાદે જણાવ્યું કે “ પારલેાકેા ! તમારી વર્તમાન પીડાનું કારણ આ પવિત્ર સ્તૂપની અવિધિએ કરાયેલી સ્થાપનામાં સમાયેલું છે, એટલે જ્યાં સુધી મૂળથી એ સ્થાન ખાદી નાખવામાં ન આવે અને સ્તૂપને ખસેડી
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy