SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ કરક p?— કૈર્માના કાતીલ ઘાથી વિશ્વભરમાં કયા આત્મા નથી હણાયા ? ખાર ખાર મહિના લગી શ્રી નાભિરુત ઋષભદેવને આહાર ન મળ્યા એ કાનેા પ્રતાપ ? ચરમ તીર્થપતિ શ્રી મહાવીરદેવને કણુ માં ખીલા નંખાવવામાં કર્મ સિવાય અન્ય કાઇના હાથ હતા ? એ કુરાજના પ્રપંચના પાર કે એની લીલાનેા તાગ માનવપ્રજ્ઞા પામવાને અશક્ત છે, તેથી જ નીતિકારાએ ‘મેળો ત્તિ પ્રધાનત્વમ્’ અથવા તા · કની ગતિ ગહન છે ’ એવા વાકયે આળેખી હાથ ખંખેરી નાખ્યા છે. વાચકમ ધુ, નિમ્ન કથાપ્રવાહમાં આગળ ગતિ કરતાં એ સંબંધમાં આપે!આપ ખાત્રી મેળવી શકશે. 6 “અરરર ! આ ઘેાર જંગલમાં હું એકાકી આવી પડી ! હવે મારી શી ગતિ ? વાધ-વરુ જેવા હિંસક પશુઓની જ્યાં ત્રાડા પડી રહી છે એવા બિહામણા સ્થાનમાં કયે માગે આગળ વધવું તે પણ નથી સમજાતું ? કોઇ માનવી નજરે ન ચડે, અરે! જ્યાં મનુષ્યના પગરવ સરખા પણુ ન જણાય ત્યાં પૂછવું પણ કેને? મને એવી તે શી બુદ્ધિ સૂઝી કે જેથી હુ ઉદ્યાન–વિહાર અર્થે નીકળી ? “ કર્યાં. મારા મણિરત્નજડીત ભૂમિકાવાળા જ્યાં સદૈવ સુગધીદાર ચીજોની બહુલતાથી સુવાસ અેકી રહે છે એવા–રમણીય આવાસા અને કયાં આ અરણ્ય વચ્ચે વિકરાળપણાના મૂર્ત્તિમ ત સ્વરૂપ જેવું ઘીચ વૃક્ષઝુંડ ? કયાં સુંદર કારીગરીવાળા, વેલ, ઝાડ, પાન આદિના ચિત્રાથી જેનાં કાષ્ઠા કાતરણીના સુદર ખ્યાલ આપે છે એવા સીસમના પલ ંગા અને તે ઉપર ઊજળી દૂધ સમી શ્વેત ચાદરાથી વેષ્ટિત થયેલ મશરુની તળાઇએ અને કયાં અહીંની કઠણ ભૂમિમાં ઊગેલી બરછટ વનસ્પતિરૂપ પાથરણું ?
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy