SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮ ] પ્રભાવિક પુરુષા : તેને અપાય છે. જીએ! ‘અયેાધ્યામાં સૌ કાઇ જાણતું હતું કે પ્રભાતકાળ થતાં જ શ્રીરામચંદ્ર રાજગાદીએ આવશે અને ભૂપ દશરથ વાનપ્રસ્થ સ્વીકારશે ' પણ સવાર થતાં તા નિર્મળ આકાશમાં ઘનઘાર વાદળસમૂહ એકત્ર થઇ જાય તેમ અચેાધ્યામાં બની ગયુ. એક તરફ રામ, લક્ષ્મણ ને સીતા વનવાસે જઇ રહ્યાં છે, બીજી તરફ ભૂપ દશરથ અવાક્ બની ગયા છે, ત્રીજી તરફ આનઃથી ગાજતુ અંત:પુર શ્મશાનની શાંતિ દર્શાવી રહ્યું છે અને ચેાથી દિશામાં પુરજનાના આનંદ પાંખા કરી કયાંય પલાયન કરી ગયા છે. સર્વત્ર કાલીમા પથરાયેલી છે. આ સર્વ કાણે કર્યું ? 6 સુનિતનિતાનિ નઽરી તે ' જેવા કાળદેવે કે કાઇ ખીજાએ ? આ મુનિ તે ધ્યાનમગ્ન હતા પણ તેમની પાછળ પડેલ કામદેવ તેમને કયાં છેડે તેમ હતા ? લાગ મળ્યા જાણી તરત જ એ ઉપડ્યો. એનું બીજું નામ અનગ છે. એના અર્થ વિચારીએ તે શરીર વગરના કહેવાય. એ ગમે તેમ હાય. આર્દ્ર કુમારની ખાખતમાં તે સાચે જ શરીર વગરના બની રહ્યો, છતાં એવી કરામત કરી કે જેથી દીક્ષા લેતી વખતે જે દઢતા હતી તે નરમ પડવા માંડી. આખરે બહુ નરમ પડી અને આકાશવાણી સાચી ઠરી. આ કેવી રીતે બન્યું? તે ટૂંકમાં અવલેાકીએ. જ્યારે આ મુનિ ધ્યાનમગ્ન હતા ત્યારે ત્યાં વસંતપુરના શ્રેષ્ઠોની કન્યા શ્રીમતી સમાનવયની સાહેલીઓ સાથે ક્રીડાથે આવી અને વર પસંદગીની રમત રમવા લાગી. દરેક સખી અકેક થાંભલાને વર માની લઈ વળગી પડી. શ્રીમતી થંભને સ્થાને સ્થંભ સમાન નિશ્ચળ ઊભેલા આર્દ્ર મુનિને પગે વળગી ગઇ. એ કાળે પુન: એક વાર આકાશવાણી સંભળાઇ કે– હે બાળા ! તેં સુંદર પસંદગી કરી છે. ’ ત્યાં તે અદ્ભુત નાદથી જેમના અંતરા વિસ્મયતાને વર્યા
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy