SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ઉવસગ્ગહર સ્તોત્ર * વિવિધતાથ કપ * : ‘ નાભિનન્દન જિનાદ્વાર પ્રખય વગેરે પરથી જણાય છે કે નાગેન્દ્રગચ્છના શ્રી દેવેન્દ્રસૂરિજીએ ચૌદમા સૈકામાં આ તીર્થની સ્થાપના કરી હતી. કવિવર શ્રી લાવણ્યસમયે આ તીની યાત્રા કરીને સ. ૧૫૬૨માં ‘સેરિસાતી સ્તવન ' રચ્યુ છે, એટલે સોળમી સદી સુધી આ તી જાહેાજલાલીમાં હતુ એવા નિશ્ચય થાય છે. સેરિસાના મંદિરની સ’. ૧૪૨૦ના લેખવાળી શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ આજે અમદાવાદ પાસે નરાડા ગામમાં વિદ્યમાન છે, જે સ. ૧૪૨૦ પછીના કટોકટીના સમયે ત્યાં લઈ જવામાં આવી હશે, એમ લાગે છે. આજે અહીં વિશાળ સુંદર મદિર ખડું છે, તે અમદાવાદ– નિવાસી શેઠ સારાભાઇ ડાહ્યાભાઈ એ બંધાવેલું છે. તેમાં મૂળ ગભારા જોધપુરી લાલ પથ્થરના અને રંગમંડપ મકરાણાના પથ્થરથી બનાવેલા છે. આ મંદિરની પ્રતિષ્ઠા સ. ૨૦૦૨ના વૈશાખ સુઢિ ૧૦ ના રાજ આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી મારફત થયેલી છે. અહીંના ભગ્ન મદિર તરફ સંવત્ ૧૯૫૫માં નાનુ ધ્યાન ખેંચાયુ' અને ખાદ્યકામ શરૂ થયું. તેમાંથી ૬ મૂર્તિ આ તથા કોતરણીવાળા અનેક પથ્થરો, થાંભલાઓ વગેરે મળી આવ્યાં. ત્યારબાદ અહીં મંદિર બંધાવવાના નિર્ણય થયેા. અહીંના મૂળનાયકજી ‘ લાડણપાર્શ્વનાથ’ કહેવાય છે. તે અંગે કોઈકનુ કહેવુ એમ છે કે આ પ્રતિમાને ડોલતી
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy