SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજી ગાથાના યંત્ર અને મંત્ર ૨૫t ની મધ્યમાં સાધકનું નામ લખીને બહાર ફરતી આઠ પાંખડીઓમાં ” દૃો ? એ મંત્રાક્ષ સ્થાપવા અને ઉપર શ્રી“કારના ત્રણ આંટા મારવા, એટલે “કાકવંધ્યાદેષનિવારણ” નામને યંત્ર તૈયાર થાય છે. આ યંત્ર ઉત્તમ દ્રવ્યથી લખીને તથા ઉપર જણાવેલા મંત્રથી પૂજીને સ્ત્રીની ડાબી ભુજાએ બાંધવાથી તે ફરી ગર્ભ ધારણ કરે છે. ૧૪. બાલગ્રહપીડાનિવારણ યંત્ર બાલકને વિવિધ પ્રહ પીડા કરતા હોય, તે બાલગ્રહપીડા. તેનું નિવારણ કરનારે જે યંત્ર, તે બાલગ્રહપીડાનિવારણ યંત્ર. તેનું વિધાન આ પ્રમાણે સમજવું. શ્કારની મધ્યમાં સાધકનું નામ લખવું. તેના ફરતા 1 થી 1 સુધીના સેળ વેરો વીંટવા અને તેના ફરતા “જી ટ્રી છે શ્રી રામુદ્દે સ્થા” એ મંત્ર લખવો. તેને હી કારના ત્રણ આંટા મારવા, એટલે “બાલગ્રહપીડાનિવારણ નામને યંત્ર તૈયાર થાય છે. ઉત્તમ દ્રવ્યથી લખીને તથા આ જ મંત્રથી તેનું પૂજન કરીને બાળકની ડાબી ભુજાએ બાંધવાથી ગ્રહપીડાને નાશ થાય છે તથા તેને ભૂતાદિને ભય લાગતો નથી. (દ્વિતીય) સૌભાગ્યકર યંત્ર જે યંત્ર દુર્ભાગ્યને નાશ કરે અને સૌભાગ્યની વૃદ્ધિ કરે, તેને સૌભાગ્યકર નામને યંત્ર કહેવાય. આ યંત્રનું વિધાન નીચે પ્રમાણે સમજવું ,
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy