SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રસિદ્ધિ અને કિંચિત ૧૩૯: બોલી જઈએ, પણ એમાં કંઈ દહાડે વળતા નથી.” આવાં વચને આજે આપણું કર્ણપટ પર અથડાય છે, તે નમસ્કારમંત્ર, ઉવસગ્ગહરે તેત્ર તથા બીજાં સ્મરણો પરત્વે આંતરિક શ્રદ્ધાને અભાવ સૂચવે છે. તેમને આ મંત્ર, તેત્ર કે સ્મરણોને પ્રભાવ જણાય ક્યાંથી ? આંખે પાટા બાંધીને સુંદર વસ્તુનાં દર્શન કરવાની ઈચ્છા રાખીએ તે તે ફળતી નથી. ત્યાં તે માત્ર અંધારૂં જ દેખાય છે. એક વૃદ્ધ મુનિ વિહાર કરતાં થાકી ગયા. ખેડૂતે તેમને પિતાના ખેતરમાં આશ્રય આપ્યો અને તેમની ભક્તિ કરી બીજા દિવસે એ મુનિએ ત્યાંથી વિહાર કરતી વખતે એ ખેડૂતને કહ્યું : “ભાઈ! હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું અને તેને એક મંત્ર આપવા ઈચ્છું છું. એ મંત્રની તું રેજ પાંચ-દશ મીનીટ ગણના કરીશ, તે તારું ભલું થશે.” ખેડૂતે કહ્યું: “બાપજી! એ મંત્ર મને જરૂર આપે. હું તેની રોજ ગણના કરીશ.” પછી મુનિએ એ ખેડૂતને નમસ્કારમંત્રનાં પદો કંઠસ્થ કરાવ્યાં અને તેણે અત્યંત ભક્તિભાવથી એ કંઠસ્થ કરી લીધાં. બાદ મુનિએ ત્યાંથી વિહાર કર્યો અને પેલે ખેડૂત તેની નિત્ય નિયમિત ગણના કરવા લાગ્યો. ગુરુએ પાંચ-દશ મીનીટ કીધી હતી, પણ તેને એમાં રસ પડ્યો, એટલે તે અધે કલાક કે તેથી પણ વધારે સમય એમાં ગાળવા લાગ્યા. ઘેડા દિવસ બાદ તેના એક માણસને સાપ કરડ્યો
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy