SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ અન્નદાતા ! આવું તે હમણું જ ચાલે છે. પેલા જોગીનાં દર્શન માટે લેક ઘેલું બન્યું છે. સેવકે પિતાની જાણ મુજબ જવાબ આપે. પેલે એટલે કે જેગી ?” પાર્શ્વકુમારને વધારે જાણવાની જિજ્ઞાસા થઈ. “કૃપાળુ ! કમઠ નામને એક જટાળો જોગી કેટલાક દિવસથી આપણું નગરની બહાર આવેલ છે. તે બહુ તપસ્વી છે અને ચમત્કારિક પણ છે. સેવકે જેગીની ઓળખાણ આપી. “એ જોગી ચમત્કારી છે, એમ શાથી જાણ્યું?” પાર્શ્વકુમારે સેવકને એક વધારે પ્રશ્ન કર્યો. મહારાજ! મેં પિતે તે તેને કોઈ ચમત્કાર જે નથી, પણ લોકોના મોઢેથી સાંભળ્યું છે કે તેણે ઘણું ચમત્કારે કરી બતાવ્યા છે. તે ધન જોઈએ તેને ધન, પુત્ર જોઈએ તેને પુત્ર અને સ્ત્રી જોઈએ તેને સ્ત્રી આપે છે.” ત્યારે તે કલ્પવૃક્ષ પોતે જ ચાલીને અહીં આવ્યું છે, એમ જ ને?” પાર્ધકુમારે જરા સ્મિત કરતાં સેવકના ઉત્તર પર રમુજ કરી. ' “હા, મહારાજ ! લોકોને તે હાલ એવું જ લાગે છે.” એમ કહી સેવકે પિતાની મનોવૃત્તિને પૂરો પરિચય આપી દીધું. - “ત્યારે આપણે એ કલ્પવૃક્ષને નજરે નિહાળવું પડશે.” એમ કહી પાર્શ્વકુમારે કમઠની પાસે જવાની તૈયારી કરી અને ચેડા સેવકે સાથે તેના સ્થાને ગયા. ત્યાં લેકેની ભારે ભીડ મચી હતી. તેમણે કમઠને ફૂલના હાથી ઢાંકી દીધે
SR No.022901
Book TitleMahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1969
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy